Book Title: Balbodh Pathmalal 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 25
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ છઠ્ઠો દ્રવ્ય ગુણ પર્યાય વિદ્યાર્થી- ગુરુજી, આજે છાપામાં વાચ્યું હતું કે હવે આ અણુબોમ્બ બની ગયા છે કે જો લડાઈ થાય તો વિશ્વનો નાશ થઈ જાય. શિક્ષક- શું વિશ્વનો પણ કદી નાશ થઈ શકે ખરો? વિશ્વ તો છ દ્રવ્યોના સમૂહને કહે છે અને દ્રવ્યનો કદી નાશ થતો નથી, માત્ર પર્યાય બદલે છે. વિધાર્થી– વિશ્વ તો દ્રવ્યોના સમૂહને કહે છે અને દ્રવ્ય? શિક્ષક- ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. વિદ્યાર્થી- મંદિરજીમાં સૂત્રજીના પ્રવચનમાં તો સાંભળ્યું હતું કે દ્રવ્ય, ગુણ અને પર્યાયવાળુ હોય છે. (ગુખ પર્યવર્દ્રવ્યમ ) શિક્ષક- બરાબર તો છે, ગુણોમાં સમયે સમયે થતા પરિવર્તનને જ પર્યાય કહે છે. તેથી દ્રવ્યને ગુણોનો સમૂહ કહેવામાં પર્યાયો આવી જ જાય છે. વિદ્યાર્થી- ગુણોના પરિણમનને પર્યાય કહે છે, એ તો સમજ્યો પણ ગુણ કોને કહે શિક્ષક- જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં (પ્રદેશોમાં) અને તેની સંપૂર્ણ અવસ્થાઓ (પર્યાયો ) માં રહે છે તેને ગુણ કહે છે. જેમ કે જ્ઞાન આત્માનો ગુણ છે, તે આત્માના સમસ્ત પ્રદેશોમાં તથા નિગોદથી માંડીને મોક્ષ સુધીની બધી હાલતોમાં હોય છે, તેથી આત્માને જ્ઞાનમય કહેવામાં આવે છે. વિધાર્થી- આત્મામાં એવા કેટલા ગુણો છે? શિક્ષક- આત્મામાં જ્ઞાન જેવા અનંત ગુણો છે, આત્મામાં જ શું, બધા દ્રવ્યોમાં, દરેકમાં, પોતપોતાના જુદા-જુદા અનંત ગુણો છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34