Book Title: Balbodh Pathmalal 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 20
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates માતા- સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ તો પુદ્ગલના ગુણ છે તેથી એના નિમિત્તથી તો માત્ર પુદ્ગલનું જ જ્ઞાન થયું, આત્માનું જ્ઞાન તો થયું નહિ. પુત્રી- અવાજ અને શબ્દોનું જ્ઞાન તો થયું ને? માતા- તે પણ પુદગલની જ પર્યાય છે ને? આત્મા તો અમૂર્તિક ચેતન પદાર્થ છે. તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને અવાજ, શબ્દ છે જ નહિ. તેથી ઇન્દ્રિયો તેને જાણવામાં નિમિત્ત થઈ શકતી નથી. પુત્રી- ન થાય તો ભલે ન થતી. જેને જાણવામાં નિમિત્ત છે, તે જ બરાબર છે. માતા- કેવી રીતે? આત્માનું હિત તો આત્માને જાણવામાં છે. તેથી ઈન્દ્રિયજ્ઞાન પણ તુચ્છ થયું. જેવી રીતે ઈન્દ્રિયસુખ (ભોગ) હેય છે, તેવી રીતે માત્ર પરને જાણનાર ઈન્દ્રિયજ્ઞાન પણ તુચ્છ છે, તથા આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન જ ઉપાદેય છે. પ્રશ્ન ૧. જૈન કોને કહે છે? ૨. ઈન્દ્રિયો કોને કહે છે? તે કેટલી છે? નામ સહિત લખો. ૩. ઈન્દ્રિયો કોને જાણવામાં નિમિત્ત છે? ૪. શું ઈન્દ્રિયો માત્ર જ્ઞાનમાં નિમિત્ત છે? ૫. જો ઈન્દ્રિયો જ્ઞાનમાં માત્ર નિમિત્ત છે તો જાણે છે કોણ? ૬. ઈન્દ્રિયજ્ઞાન તુચ્છ કેમ છે? ૧૫ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34