Book Title: Balbodh Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates લોકમાં ચાર ઉત્તમ છે. અરહંત ભગવાન ઉત્તમ છે, સિદ્ધ ભગવાન ઉત્તમ છે, સાધુ (આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ) ઉત્તમ છે તથા કેવળી ભગવાને બતાવેલ વીતરાગ ધર્મ ઉત્તમ છે. લોકમાં જે સૌથી મહાન હોય તેને ઉત્તમ કહે છે. લોકમાં આ ચારેય સૌથી મહાન છે, તેથી ઉત્તમ છે. હું ચારેયના શરણે જાઉ છું. અરહંત ભગવાનના શરણે જાઉ છું, સિદ્ધ ભગવાનના શરણે જાઉ છું, સાધુ (આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ) ના શરણે જાઉ છું અને કેવળી ભગવાને બતાવેલ વીતરાગ ધર્મના શરણે જાઉ છું. શરણ આધારને કહેવામાં આવે છે. પંચ પરમેષ્ઠીએ બતાવેલ માર્ગે ચાલીને પોતાના આત્માનું શરણ લેવું તે જ પંચ પરમેષ્ઠીનું શરણ છે. જે વ્યક્તિ પંચ પરમેષ્ઠીનું શરણ લે છે તેનું કલ્યાણ થાય છે. અર્થાત્ દુઃખ (ભવભ્રમણ) મટી જાય છે. પ્રશ્ન ૧. મંગળ, ઉત્તમ અને શરણ શબ્દનો અર્થ સમજાવો. ૨. આપણે કોનું શરણ લેવું જોઈએ? ૩. આત્માનું હિત કઈ વાતમાં છે? ૪. ચત્તારિ મંગલ આદિ પાઠ શુદ્ધરૂપે લખો અથવા બોલો. ૫. “પંચ પરમેષ્ઠીનું શરણ” નો શું અર્થ છે? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26