Book Title: Balbodh Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 16
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ પાંચમો જીવ-અજીવ હીરાલાલ- મારું નામ કેટલું સારું છે? જ્ઞાનચંદ- ઓહ! બહુ સારું છે! અરે ભાઈ ! હીરો કીમતી જરૂર હોય છે, પણ છે તો તે અજીવ જ ને? છેવટે શું તમે જીવ (ચેતન) માંથી અજીવ બનવાનું પસંદ કરો છો? હીરાલાલ- અરે ભાઈ ! આ જીવ-અજીવ શું છે? જ્ઞાનચંદ- જીવ! જીવને નથી જાણતા? તમે જીવ તો છો. જે જ્ઞાતા દ્રષ્ટા છે, તે જ જીવ છે, જે જાણે છે, જેમાં જ્ઞાન છે તે જ જીવ છે. હીરાલાલ અને અજીવ? જ્ઞાનચંદ- જેમાં જ્ઞાન નથી, જે જાણી નથી શક્યું તે જ અજીવ છે. જેવી રીતે તમે અને હું જાણીએ છીએ તેથી આપણે જીવ છીએ. હીરો, સોનું, ચાંદી, ટેબલ, ખુરશી એ બધાં જાણતા નથી તેથી તે અજીવ છે. હીરાલાલ- જીવ-અજીવની બીજી ઓળખાણ શું છે? ૧૧ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26