Book Title: Balbodh Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 15
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કરવા, ત્યાર પછી મન એકાગ્ર કરી ભગવાનની સ્તુતિ બોલીને ત્રણ પ્રદક્ષિણા કરવી જોઈએ. ત્યાર પછી ફરીથી ભગવાનને નમસ્કાર કરી નવ વાર મોકાર મંત્ર બોલી કાયોત્સર્ગ કરવો જોઈએ. દિનેશ- સારું, તો શાન્તિથી આ રીતે મન એકાગ્ર કરીને ભગવાનના દર્શન કરવા જોઈએ. વળી..? જિનેશ- વળી શું? ત્યાર પછી શાન્તિથી બેસીને ઓછામાં ઓછો અર્ધા કલાક શાસ્ત્ર વાંચવું જોઈએ. જો મંદિરજીમાં તે વખતે પ્રવચન થતું હોય તો તે સાંભળવું જોઈએ. દિનેશ- બસ... જિનેશ- બસ શું? શાસ્ત્રમાં જે વાંચ્યું હોય અથવા પ્રવચનમાં સાંભળ્યું હોય, તેનું થોડી વાર બેસીને મનન કરવું જોઈએ તથા વિચારવું જોઈએ કે હું કોણ છું? ભગવાન કોણ છે? હું પોતે ભગવાન કેવી રીતે બની શકું? વગેરે, વગેરે.. દિનેશ- આ બધાથી શો લાભ થાય? જિનેશ- એનાથી આત્મામાં શાન્તિ મળે છે, પરિણામોમાં નિર્મળતા આવે છે. મંદિરમાં આત્માની ચર્ચા થાય છે. તેથી જો આપણે આત્માને સમજીને તેમાં લીન થઈ જઈએ તો પરમાત્મા બની શકીએ. પ્રશ્ન ૧. દેવદર્શનની વિધિ તમારા શબ્દોમાં લખો. ૨. મંદિરમાં કેવી રીતે અને શા માટે જવું જોઈએ? ૩. મંદિરમાં કઈ કઈ વસ્તુ ન લઈ જવી જોઈએ? ૪. દેવદર્શન કરતી વખતે શું બોલવું જોઈએ? ૫. મંદિરમાં શું શું કરવું જોઈએ? ૧૦ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26