________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ સાતમો
ભગવાન આદિનાથ
પુત્રી- બા, ઘેર ચાલોને ! બા- આવું તો છું, જરા ભક્તામરનો પાઠ કરી લઉ. પુત્રી- ભક્તામર શું છે? બા- ભક્તામર સ્તોત્ર એક સ્તુતિનું નામ છે, એમાં ભગવાન આદિનાથની
સ્તુતિ (ભક્તિ) કરવામાં આવી છે. પુત્રી- બા, જેમની સ્તુતિ હજારો માણસો દરરોજ કરે છે તે આદિનાથ કોણ હતા? બા- તેઓ ભગવાન હતા. તેઓ દુનિયાની બધી વાતો જાણતા હતા અને
તેમના રાગ-દ્વેષ-મોહ નષ્ટ થઈ ગયા હતા તેથી તેઓ પરમ સુખી હતા.
૧૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com