Book Title: Balbodh Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 21
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેવદર્શનની વિધી તો તમને તે દિવસે સમજાવી હતી. ત્યાર પછી અલ્પાહાર (દૂધ, નાસ્તો) લઈને જો નિશાળનો કે પાઠશાળાનો સમય હોય તો ત્યાં જવું જોઈએ, નહીં તો ઘેર જ પોતે અભ્યાસ કરવો જોઈએ. એવી જ રીતે ભોજન પણ દરરોજ સમય પ્રમાણે ૧૦-૧૧ વાગ્યે શાંતિપૂર્વક કરવું જોઈએ. સાંજે દિવસ આથમ્યા પહેલાં જ ભોજનથી નિવૃત્ત થઈ જવું એ પ્રત્યેક બાળકનું કર્તવ્ય છે. રાત્રે ભોજન કદી નહિ કરવું જોઈએ, એવી જ રીતે રાત્રે પણ જ્યાં સુધી તમારું મન ચોંટે ત્યાં સુધી ૮-૯ વાગ્યા સુધી પોતાના પાઠ યાદ કરવા જોઈએ. ત્યાર પછી આત્મા અને પરમાત્માનું સ્મરણ કરીને સ્વચ્છ પથારીમાં શાંતિથી સૂઈ જવું જોઈએ. બધાં બાળકો-આજથી અમે આપે બતાવેલી દિનચર્યા પ્રમાણે જ ચાલશું અને શરીરની સ્વચ્છતા સાથે જ આત્માની પવિત્રતાનું પણ ધ્યાન રાખશું. પ્રશ્ન ૧. એક સારા બાળકની દિનચર્યા કેવી હોવી જોઈએ? ૨. સવારમાં સૌથી પ્રથમ ઊઠીને આપણે શું કરવું જોઈએ? ૩. શારીરિક સ્વચ્છતા અને મનની પવિત્રતા બાબત શું સમજ્યા? ૪. શારીરિક સ્વચ્છતા માટે શું કરવું જોઈએ? ૫. મનની (આત્માની) પવિત્રતા માટે શું કરવું જોઈએ? ૧૬ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26