________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ છઠ્ઠો
દિનચર્યા
શિક્ષક- બાળકો! આજે હું તમારા નખ અને દાંત જોઈશ. ઠીક, બોલો રમેશ, તમે
કેટલા દિવસથી ન્હાયા નથી ? રમેશ- જી, હું તો રોજ ન્હાઉ છું. શિક્ષક- દરરોજ ન્હાનારના હાથ-પગ આટલા ગંદા હોય નહિ. તમે રોજ ન્હાતા
હશો એ ખરું, પણ માથા ઉપર બે કળશા પાણી રેડી દેવું એ જ સ્નાન નથી. આપણે સારી રીતે ચોળીને ન્હાવું જોઈએ.
એવી જ રીતે આપણે આપણા દાંત સાફ કરવા માટે દરરોજ સવારે દાતણ અથવા મંજન કરવું જોઈએ. જે બાળકો મંજન કરતા નથી તેમના મોઢામાંથી ખરાબ વાસ આવે છે, તેમનાં દાંત નબળા પડી જાય છે.
સુરેશ- ગુરુજી! હું તો સાંજે ન્હાઉ છું. શિક્ષક- ના, આપણે દરેક કામ વખતસર કરવું જોઈએ તો જ ઠીક કહેવાય.
આપણે દરરોજનો કાર્યક્રમ બનાવી લેવો જોઈએ અને પછી તે પ્રમાણે પોતાનું દૈનિક કાર્ય પૂરું કરવું જોઈએ.
૧૪
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com