Book Title: Atmanand Prakash Pustak 062 Ank 08 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંઘવી શેઠ શ્રી સૌભાગ્યચંદ નવલચંદ શાહ (દમણુવાળા) ધાર્મિક ઊંડા સંસ્કાર અને સાદાઈથી રંગાયેલા તથા પિતાના જ પુરુષાર્થથી જીવનમાં આગળ વધેલા શેઠ શ્રી સૌભાગ્યચંદભાઈને જન્મ વિ.સં. ૧૯૬૫ના આષાઢ વદિ ચોથના રોજ ઉચ્ચ સંસ્કારી ધર્મિષ્ટ શેઠ શ્રી નવલચંદ દીપચંદભાઈને ઘેર માતુશ્રી મણિબેનની કુક્ષિએ દમણમાં થયેલ હતું. તેમના જન્મ વખતે કુટુંબના સંયોગે સામાન્ય હતા. પરંતુ ત્યારબાદ વયમાં આવતાં શેઠ શ્રી સોભાગ્યચંદભાઈ આપ બળે પોતાનો ઉત્તરોત્તર વિકાસ સાધતા રહ્યા છે. શ્રી સોભાગ્યચંદભાઈને ધાર્મિક અભ્યાસ પ્રકરણો સુધી છે. અને નવ લાખ નમસ્કારમંત્રનો જાપ અત્યારે ચાલુ છે. તેમનાં ધર્મપત્ની શ્રીમતી કુસુમબેન પણ સારી રીતે ધાર્મિક શ્રદ્ધા ધરાવે છે. તેમણે બંનેએ મળીને અઠ્ઠાઈઓ તથા જ્ઞાનપંચમી તપ કરેલાં છે, અને વર્ધમાન તપની ઓળીઓ તે ચાલુ છે. શ્રીમતી કુસુમબેને તે વીશ સ્થાનકની ઓળી તથા ઉપધાન તપ પણ કરેલ છે. આમ તો તેમનું આખું કુટુંબ ધાર્મિક રંગે રંગાયેલું છે. તેમના વડીલ બંધુ શ્રી ચંપકલાલભાઈના પુત્રી, તથા તેમનાં બેન, બેનની ચાર પુત્રીઓ અને બે પુત્ર-એમ સોએ ભાગવતી દીક્ષા અંગીકાર કરેલ છે. સુરતની બીવીશા શ્રીમાળી જ્ઞાતિનો શ્રી સિદ્ધાચળજી તથા શ્રી શંખેશ્વરજી તીર્થને લગભગ હજાર ભાવિકોને એક માટે સંઘ ચાલુ વર્ષમાં બીજા ચાર સાથીદારો સાથે કાઢવામાં તેઓશ્રીએ ઉદાર દિલથી હિસ્સો આપ્યો હતો અને આ માટે જ્ઞાતિ વિગેરે તરફથી તેમને માનપત્ર આપવામાં આવ્યું હતું. શ્રી સંઘ લઈને આવ્યા તેજ પ્રસંગે શ્રી સિદ્ધાચળજી ઉપર શ્રી કપડવંજવાળા દેરાસરમાં શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી તીર્થભક્તિ સાથે પ્રભુભક્તિનો પણ પરમ લાભ લીધું હતું. આ ઉપરાંત, તેઓશ્રી વર્ષોવર્ષ સહકુટુંબ જુદા જુદા તીર્થોની યાત્રાને લાભ લેતા રહ્યા છે. પોતાના સંતાનોને ધાર્મિક ઉપરાંત ઉચ્ચ વ્યાવહારિક કેળવણી આપવામાં પણ તેઓશ્રી સારો રસ ધરાવે છે. અને સાથે સાથે તેઓમાં ઊંડા સંસ્કારો પણ ઉતાર્યા છે. પિતાના સરળ સ્વભાવ અને મિલનસાર. પ્રકૃતિથી તેઓશ્રીએ સારી એવી કપ્રિયતા પ્રાપ્ત કરેલી છે. આવા એક ધર્મપ્રેમી સદુગ્રહસ્થ અમારું આમંત્રણ સ્વીકારી આ સભાના પેટ્રન થયા છે અને એ રીતે અમારા કામમાં સહકાર આપે છે તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ તેઓશ્રી જીવનના દરેક ક્ષેત્રે પ્રગતિ સાધતા રહે અને દીર્ધાયુષ્ય ભોગવે તેવી શુભેચ્છાઓ દર્શાવીએ છીએ. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26