Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 40
________________ — અર્થ ભૂતકાળની એટલે ઉત્સર્પિણીકાળની ચોવીસીના છેલ્લા ત્રણ આરા, તેમાં ચોથો આરો બે કોડાકોડી સાગરોપમનો છે. પાંચમો આરો ત્રણ કોડાકોડી સાગરોપમનો અને છઠ્ઠો આરો ચાર કોડાકોડી સાગરોપમનો છે. તે મળીને નવ કોડાકોડી સાગરોપમ થાય. તે પછી અવસર્પિણીકાળનો પહેલો આરો ચાર કોડાકોડી સાગરોપમનો છે. બીજો આરો ત્રણ કોડાકોડી સાગરોપમનો છે. ત્રીજો આરો બે કોડાકોડી સાગરોપમનો છે. એવી રીતે અઢાર કોડાકોડી સાગરોપમનો કાળ વિરતિરૂપ ધર્મ વિનાનો અને પાંચ ભરત અને પાંચ ઐરાવતમાં એમ દશે ક્ષેત્રમાં સરખા ભાવવાળો તેમ જ યુગલિક ધર્મવાળો હોય છે. તે વખતે આ દશે ક્ષેત્રની ભૂમિ થાળી સરખી હોય છે. તેમાં ત્રીજા આરામાં ચોરાસીલાખ પૂર્વ અને નેવાસી પખવાડિયાં બાકી હોય ત્યારે ઋષભદેવ ભગવાન જેવા પ્રથમ તીર્થંકર ઉત્પન્ન થાય છે. એ વખતે એટલે જ્યાં સુધી પ્રથમ તીર્થંકર ઉત્પન્ન ન થાય ત્યાં સુધી આવી સ્થિતિ વર્તે છે, તે વખતે આકાશમાં પાંચ જાતિના વરસાદ વરસે છે અને ભરતક્ષેત્રની ભૂમિ બંદરરૂપ બને છે. વરસાદથી સરખી ભૂમિ તે પણ મોટા નાના પર્વતરૂપે બની સમ-વિષમભાવ ભજવે છે. આવા ભાવો અવસર્પિણીના અને ઉત્સર્પિણીના સવળા અને અવળા ક્રમભાવે અનાદિઅનંત સ્થિતિપણે વર્તે છે. આવા શાશ્વતા અને અપેક્ષાએ અશાશ્વતા ભાવો જંબુદ્રીપ્રજ્ઞપ્તિ અને જીવાભિગમસૂત્રમાં બતાવ્યા છે. આ બાબતનું વર્ણન શ્રી તીર્થંકર પ્રભુની ત્રિપદી પામેલા ગણધર મહારાજાઓએ પોતાના સ્વમુખે કહેલું છે. ।। ૧ થી ૭ | Shri Ashtapad Maha Tirth જંબુદ્રીપના દક્ષિણ જગતીના દરવાજાથી અને વૈતાઢચના મધ્યમ પ્રદેશમાં ભરતક્ષેત્રની અંદર અયોધ્યા નામની નગરી ગણધર મહારાજાએ દર્શાવી છે. એવી રીતે જંબુદ્રીપના ઉત્તર જગતીના દરવાજાથી વૈતાઢ્યના મધ્ય પ્રદેશમાં ઐરવત ક્ષેત્રમાં અયોધ્યા નગરી આવેલી છે. તે બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી એવી અયોધ્યા નગરી જે દક્ષિણ ભરતાર્ધના મધ્ય પ્રદેશે છે, તેની નજીકમાં બત્રીસ કોશ ઊંચો અષ્ટાપદ નામનો પર્વત આવેલો છે. આવી સુંદર વાણી ગણધર પ્રભુએ કહેલી છે. જિનેશ્વર ભગવાને પ્રકાશેલા અર્થરૂપ અને ગણધર મહારાજાએ ગૂંથેલા સૂત્રરૂપ આગમોને વારંવાર ધન્યવાદ ઘટે છે. ॥ ૮ થી ૧૦ ॥ ભરતક્ષેત્રની અયોધ્યા નગરીમાં નાભિ કુલકર થયા. તેમને મરૂદેવી નામે રાણી હતી. આ દંપતિના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન પુત્ર થાય. તેઓ સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનથી તેત્રીસ સાગરોપમનું આયુષ પૂરું કરી, અષાઢ વદી ચોથે ચ્યવીને મરૂદેવી માતાની કુક્ષીમાં પધાર્યા, તે વખતે પ્રથમ તીર્થંકરનું ચ્યવન કલ્યાણક થયું. ત્યાર પછી ગર્ભકાળ પૂરો થતાં ચૈત્ર વદી આઠમને દિવસે, જેનાથી ત્રણ ભુવનમાં ઉદ્યોત થાય અને સંસારસમુદ્રમાં તરવા તથા તરાવવામાં વહાણ સમાન બને એવા પ્રથમ તીર્થંકર જન્મ્યા. તે વખતે શ્રી ઋષભદેવ ભગવાનનું જન્મ કલ્યાણક થયું. કવિરાજ શ્રી દીપવિજયજી મહારાજ આગમોનું અવલોકન કરી ઋષભદેવ ભગવાનના જાણવા યોગ્ય ભાવો આ રીતે પ્રથમ જળપૂજાની બીજી ઢાળમાં પ્રદર્શિત કરે છે. ।। ૧૧ થી ૧૩ || ॥ મંત્ર ॥ ૐૐ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરામૃત્યુનિવારણાય, શ્રીમતે જિનેંદ્રાયા પૂર્વદિશાસંસ્થિત ઋષભ ॥૧॥ અજિત ॥૨॥ દક્ષિણ દિશાસંસ્થિત સંભવ ॥૧॥ અભિનંદન ॥૨॥ સુમતિ ૫ણા પદ્મપ્રભ ॥૪॥ પશ્ચિમ દિશાસંસ્થિત સુપાર્શ્વ ॥૧॥ ચન્દ્રપ્રભ ॥૨॥ સુવિધિ ાના શીતલ ॥૪॥ શ્રેયાંસ ॥૫॥ વાસુપૂજ્ય ॥૬॥ વિમલ પ્રજ્ઞા અનંત ॥૮॥ ઉત્તરદિશા-સંસ્થિત ધર્મ ॥૧॥ શાન્તિ રા કુંથુ "જ્ઞા અર્ ॥૪॥ મલ્લિ ।। મુનિસુવ્રત ॥૬॥ નમિ ॥ા નેમિ ॥૮॥ પાર્શ્વ ॥૯॥ વર્ધમાન ॥૧૦॥ નિષ્કલંકાય, ચત્તારિ અઠ્ઠ દસ દોય જિનવિશ્વનાથાય, દેહવર્ણલાંછનસહિતાય, ચતુર્વિંશતિજિનાધિપાય, જલં યજામહે સ્વાહા | ॥ ચારે કોરે કળશ ઢોળે ।। 44 335 3. Ashtapad Tirth Pooja

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86