Book Title: Aptavani 14 Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 191
________________ (૭) પરમાણુની અસરનું સાયન્સ ! દાદાશ્રી : મારે પરમાણુ બધા જોડે મળતા આવે. મારા પરમાણુ (મોક્ષના હેતુવાળા) બધામાં કોમન છે. મારા જેવા પરમાણુ હોય તો ખેંચાઈને અહીં આગળ આવે. ઓછા-વત્તા મારા જેવા પરમાણુ હોય તો જ ભેગો થાય, નહીંતર ના થાય. ૨૯૫ પ્રશ્નકર્તા ઃ તમારા જેવા પરમાણુ એમનામાં છે અને તમારા જેવા પરમાણુ મારામાં છે, તો મને અને એમને તો મેળ થાય ને ? દાદાશ્રી : તમને ને એમને મેળ ના પડે. એ તમને મારી જોડે મેળ પડે. તમારામાં પરમાણુ જે છે જુદી જાતના છે, તે મારામાં છે. તમારા પ્રમાણે એમનામાં નથી. એમના પરમાણુ જેવા મારામાં છે. એમના પરમાણુ જેવા તમારામાં નથી. પ્રશ્નકર્તા ઃ તમારી પાસે પરમાણુનો ભંડાર છે. દાદાશ્રી : ભંડાર એવો નથી, મારા પરમાણુ બધાને મળતા આવે છે. પ્રશ્નકર્તા : તો પછી તમારા પરમાણુની સંખ્યા વધારે છે કે તમારા પરમાણુની ક્વૉલિટી એવી છે કે બધાની જોડે ફીટ થઈ જાય ? દાદાશ્રી : અમારા દરેક પરમાણુ બધાને કામ લાગે એવા જ હોય છે. બધાનામાં હોય છે એવા જ અને એ જ ભેગા થાય છે મને. બીજાથી ભેગા થઈ શકાતું નથી. મેં આ ભઈને દેખાડેલું. ત્યાં મામાની પોળમાં રહેતા હતા ત્યારે કોઈ ઓટલે ચઢે ને, તો હું કહું આ ઓટલે ચઢે છે ને, તે હમણાં ઉતરી જશે, જો જો ! થોડી વાર પછી ઉતરી ગયો હોય ! એનાથી અવાય નહીં. પ્રશ્નકર્તા : કેટલાય જતા રહેલા છે પાછા. એ સિવાય કેટલાય મળીનેય પાછા જતા જ રહે છે ને ! દાદાશ્રી : મેળ જ પડે નહીં. એને મહીંથી જ ના પાડે. એટલે બધું આ આધારવાળું છે જગત, નિરાધાર નથી. ભગવાન ભગવાનના ફોર્મમાં છે અને આ પરમાણુઓ પરમાણુઓના ફોર્મમાં છે. બધું આધાર આપ્તવાણી-૧૪ (ભાગ-૨) સહિત છે, કાયદેસર છે અને વ્યવસ્થિત છે. હા, અને રેગ્યુલેટર ઑફ ધી વર્લ્ડ છે. ૨૯૬ પ્રશ્નકર્તા : આ જે અમને તમારી પાસે ખેંચી લાવે છે એ પરમાણુ, એ સૂક્ષ્મ પરમાણુ જે છે એને અને આત્માને લેવાદેવા નથી ? દાદાશ્રી : કશુંય લેવાદેવા નથી. આત્માને તો કોઈનીય લેવાદેવા નથી. આત્મા તો સ્વતંત્ર છે, પરમાનંદ સ્વરૂપમાં છે અને એક જ સ્વભાવમાં છે બધા. કશું જુદાઈ છે નહીં. આ બધી પરમાણુની જુદાઈ છે. ત્યારે કહે, ‘બધે જુદાઈ કેમ ?” ત્યારે કહે, “બધાની સ્પેસ જુદી છે એટલે બધી જુદાઈ છે. જો એક જ સ્પેસ હોતને તો કશું આવું ના થાત.’ પ્રશ્નકર્તા : પરમાણુનું ચાલકબળ કયું છે અને કયા ભાવથી આ પરમાણુ બંધાયેલા હોય છે ? પરમાણુ આવ્યા જુદી જુદી સ્પેસમાં, જુદા જુદા આકારના, જુદી જુદી એમાઉન્ટમાં આ પરમાણુ ભેગા થયા. હવે આનું ચાલકબળ ક્યું છે ? દાદાશ્રી : કોણ ચાલક ? પોતે સ્વભાવથી જ ચાલક છે. જગત નિરંતર પરિવર્તનશીલ જ છે. જગત પ્રવાહરૂપે જ છે. તમારે કશું ચલાવવાની જરૂર પડતી નથી. વ્યવસ્થિત સંજોગો ભેગા કરી આપે છે. એના હિસાબમાં જ છે બધું. પરમાણુ ફર્યા જ કરે છે. પરમાણુનું મળતાપણું આવે તો આકર્ષણ થાય અને પરમાણુનું મળતાપણું ના આવે ત્યારે વિકર્ષણ થાય. એકદમ વિશેષ પ્રમાણમાં મળતા ભેગા થાય વિરહો ઉત્પન્ન થાય. હવે જ્ઞાની પુરુષ પ્રત્યે બધા જ મહાત્માઓને એક જ ભાવ હોય છે. કારણ કે અમારામાં દરેક મહાત્માઓને મળતા પરમાણુ હોય, તે જ અમને ભેગો થાય. હવે તમારા વિકર્ષણના પરમાણુ નીકળી જશે ને મારા મળતા પરમાણુઓ તમારામાં ભરાતા જશે, તેમ તેમ મારા જેવા થશો. અમારા પરમાણુ સ્ટ્રોંગ, અગ્નિને ઉધઈ ન અડી શકે તેવા. અમને કોઈના પરમાણુ અસર ન કરે.

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243