Book Title: Aptavani 14 Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 209
________________ ૩૩૨ આપ્તવાણી-૧૪ (ભાગ-૨) (૧૦) પુદ્ગલની પરિભાષા ! ૩૩૧ ફ્રેકચર થઈ ગયો તો ખલાસ થઈ ગયું. આ ઈગોઈઝમ જ કર્મ બાંધે છે ને કુદરત છોડે છે. કુદરત એના ટાઈમિંગ થાય છે ને એટલે એ બધું કર્મ છૂટે છે અને ઈગોઈઝમ ભોગવે છે ને કર્મ બાંધે છે. ભોગવે છે ને કર્મ બાંધે છે. બસ, ઈગોઈઝમનું જ કામ છે આ. શ્યારે ઈગોઈઝમ નહીં હોય ત્યારે કર્મ નહીં બંધાય. પ્રશ્નકર્તા : એટલે તમે એવું કહેવા માંગો છો કે આત્મા પુદ્ગલ થકી કર્મ બાંધે છે અને પુદ્ગલ થકી છોડ છે. દાદાશ્રી : એવું નથી. (મૂળ) આત્મા તો આમાં હાથ ઘાલતો જ નથી. ખરી રીતે આત્મા તો છૂટ્ટો જ છે, સ્વતંત્ર છે. આત્માની હાજરીથી આ અહંકાર કર્મ બાંધે છે અને ભોગવે છે તેય અહંકાર ભોગવે છે. પ્રશ્નકર્તા : અહંકાર જે ભોગવે છે એ પુદ્ગલના માધ્યમથી ભોગવે છે ને ? દાદાશ્રી : હા, પણ એ તો એનો બીજો રસ્તો જ નથી ને ! અહંકાર એ પુદ્ગલ છે અને આ કર્મય પુદ્ગલ છે. વસ્તુ તો એક જ છે, આમ જુદું જુદું બોલવું હોય તો જુદું જુદું બોલાય. કોણે ભોગવ્યું ? કષાય છે પુદ્ગલ ! પ્રશ્નકર્તા : આ કષાય જે છે તે પુદ્ગલને આધીન જ છે ને પુદ્ગલથી જ પરિણામ પામે છે ને તે ? દાદાશ્રી : એ પોતે જ પુદ્ગલમાં ગણાય છે. એ પુદ્ગલનો એક ભાગ જ છે. પ્રશ્નકર્તા : ક્રોધ એ પુદ્ગલનો સ્વભાવ કે પ્રકૃતિનો ? દાદાશ્રી : પ્રકૃતિ એ પુદ્ગલ જ છે, બધું આ. પ્રકૃતિમાં કોઈ ચેતન-બેતન નામેય નથી, એ બધું પુદ્ગલ જ છે. પ્રશ્નકર્તા : એટલે ક્રોધ-માન-માયા ને લોભ એ પુદ્ગલમાં ? દાદાશ્રી : બધું પુદ્ગલ જ છે એ. પ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભ જે એનાં પરિણામ બતાવે છે એનું કારણ શું ? દાદાશ્રી : એ બધું અજ્ઞાનતા હોય ત્યાં સુધી છે. ક્રોધ-માનમાયા-લોભ જે લઘુ-ગુરુ સ્વભાવના છે તે પુદ્ગલનું છે. અગુરુલઘુ સ્વભાવવાળું બધું આત્માનું. વગર બોલ્ય ગુસ્સો હોય તો ખબર પડે કે ના પડે ? પડે જ. પ્રશ્નકર્તા : પઝલ કરનારું પુદ્ગલ જ કહ્યું, તે એમાં અજ્ઞાન નથી કહ્યું. દાદાશ્રી : એ જ પુદ્ગલ, પુદ્ગલ એ જ અજ્ઞાનને ! ક્રોધ-માન-માયા-લોભ, અહંકાર, બધુંય પુદ્ગલ કહેવાય. એ મિશ્રચેતન પણ આમ પુદ્ગલમાં ગણાય. ઉદયાસ્ત એ બધું જ પુદ્ગલ, આપણું નહોય. ક્રોધ-માન-માયાલોભ બધું ઉદયાસ્ત હોય, આપણું ના હોય. રાગ-દ્વેષનું નામ બંધત ચોખું પુદ્ગલ અને રિલેટિવ પુદ્ગલ અર્થાત્ વિભાવિક પુદ્ગલ. સંજોગવશાત્ ઉત્પન્ન થયેલું. સ્વભાવિક પુદ્ગલ ઈફેક્ટિવ નથી, વિભાવિક પુદ્ગલ ઈફેક્ટિવ છે. પ્રશ્નકર્તા : દાદા, તમે એમ કીધું કે, કોઝિઝ હોય તો ઈફેક્ટ આવે, તો પહેલું કોઝ આવ્યું કે ઈફેક્ટ આવી ? સૌથી પહેલું શું આવ્યું? દાદાશ્રી : એ તો બુદ્ધિનો પ્રશ્ન છે ને ! પ્રશ્નકર્તા : શરીર હોય, પુદ્ગલ હોય તો રાગ-દ્વેષ થાય ને ! દાદાશ્રી : હા, પુદ્ગલ હોય તો પણ પુદ્ગલ એટલે ઈફેક્ટ. તું પુદ્ગલ કહું છું ને, એને હું ઈફેક્ટ કહું છું કે આ ઈફેક્ટ છે તો આ

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243