Book Title: Aptavani 14 Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 214
________________ (૧૦) પુદ્ગલની પરિભાષા ! ૩૪૧ ૩૪૨ આપ્તવાણી-૧૪ (ભાગ-૨) કશો અધિકાર જ નથી. હા, એટલું કહેવાનો અધિકાર છે કે તમે સ્વરૂપની રમણતા કરો છો કે પુદ્ગલની રમણતા કરો છો ? એવું પૂછાય. ત્યારે કહે, ‘સ્વરૂપની રમણતા કરીએ છીએ.’ તો બરોબર છે. શુદ્ધાત્માની રમણતા એ જ મુખ્ય વસ્તુ છે. અત્યાર સુધી આ પુદ્ગલની રમણતા હતી. આ બધું પુદ્ગલ જ કહેવાય ને ! જે રૂપે કહો, આમ રૂપે કહો કે તેમ રૂપે કહો, પણ બધા રૂપે બધું પુદ્ગલ જ છે. બધા જેટલા સાધન માર્ગે છે, એ બધા પૌગલિક રમણતામાં છે ! પ્રશનકર્તા : એટલે પુદ્ગલ જેવું પૂરણ કરેલું... દાદાશ્રી : એવું જ ગલન થાય છે. સત્તરે ગુણ્યા’તા અને હવે કહે છે કે મારે ત્રણથી ભાગવું છે તો કેમ ભગાતું નથી ? અલ્યા મૂઆ, જેટલે ગુણ્યા'તા એનાથી જ ભાગ તો એ શેષ વગરનું આવે. પ્રશ્નકર્તા : પણ આ ક્રિયાઓ તો નિઃશેષ થતી નથી ને ? કહો છો ને કે ક્રિયાઓ પુદ્ગલ કરે છે, તો એ હવે એને નિઃશેષ થવા માટે પાછું એવો ભાગાકાર કરવો પડે ? દાદાશ્રી : પુદ્ગલ છે તે એ એવી રીતે જ બધું કાર્ય કરે છે. એમાં આ ડખલ કરે છે કે ના, સત્તરે શું કરવા લાગે છે, ત્રણે ભાગ, પાંચ ભાગ. પ્રશ્નકર્તા : નહીં તો આમ નિઃશેષ થવાનું હતું ? દાદાશ્રી : હા, એની મેળે ચોખ્ખું જ થઈ જાય. પ્રશ્નકર્તા : પણ આ ભાગાકાર કરે છે કે ગુણાકાર કરે છે એટલે વધે છે બીજું. દાદાશ્રી : આ લોકો ડખલ કરતા હોયને તો ઉપર વાદળાં (આવરણ લાવ્યા) વગર હોય નહીં. વાદળાં લાવ લાવ જ કર્યા કરે, બારે મહિના. ઊલટું ડખલ નથી ત્યાં એટલું સારું છે. નહીં તો આ લોકો જેમાં ને તેમાં મહીં ડખલ કર્યા કરે. અને આપણે આ (જ્ઞાન પછી) ડખલ નહીં ને, એટલે નિરાંત થઈ ગઈ. મરતું-જીવતું નથી કોઈ ! પ્રશનકર્તા : તો પુદ્ગલનીયે જાગૃતિ નથી, આત્માનીય નથી, તો પછી કોની કહેવાય ? - દાદાશ્રી : પુદ્ગલની જ. આ પુદ્ગલ લઢે છે, પુલનું અતિક્રમણ છે, પુદ્ગલ ક્રમણ છે, પુદ્ગલ પૈણે છે, પુદ્ગલ રાંડે છે, પુદ્ગલ મરે છે, પુદ્ગલ જન્મે છે. પણ બહાર વાત આ ના બોલાય. અહીં વાત બોલાય. આ સાપેક્ષ વાત છે. બહાર તો તમે કહો છો, ત્યાં મારે એવું જ બોલવું પડે કે આત્મા જન્મે છે ને આત્મા મરે છે. પ્રશ્નકર્તા : પુદ્ગલ અતિક્રમણ કેવી રીતે કરે ? દાદાશ્રી : એવું છે ને, પુદ્ગલ અતિક્રમણ એકલું ના કરે, આ જગત જ પુદ્ગલ ચલાવી રહ્યું છે. લઢાઈઓ જ પુદ્ગલ ચલાવી રહ્યું છે. આ બધું જ પુદ્ગલ ચલાવી રહ્યું છે. એ જ્ઞાનીઓની ભાષા બીજા લોકોને કેમ સમજમાં આવે ? જ્ઞાનીઓ જોઈને કહે છે, શ્યારે બીજાને પ્રતીતિમાં લાવવાનું છે. પ્રશ્નકર્તા : પુદ્ગલનું જે થયા કરે છે તે વ્યવસ્થિતના ધોરણે થયા કરે છે, પણ તે અતિક્રમણ કેવી રીતે કરી શકે ? દાદાશ્રી : ક્રમણ કરી શકે અને અતિક્રમણ બધું જ એ જ કરે છે ને ત્યારે. પ્રશનકર્તા : એ પુદ્ગલમાં આત્માનું ચેતન ભળે તો જ થાયને ? દાદાશ્રી : એનું નામ જ પુદ્ગલ કહેવાય. આ જે પુદ્ગલ પરમાણુ છે ને, એ તો આપણે પુદ્ગલ કહીએ છીએ, એટલું જ છે. એ તો પરમાણુ જ છે. પણ મિશ્રચેતનને ભગવાને પુદ્ગલ કહ્યું છે. પુદ્ગલ એટલે શું, કે મિશ્રચેતન ચૈતન્યભાવથી ભરેલું તે, પૂરણ થયું એ બીજા અવતારમાં ગલન થાય છે. પાછું પૂરણથી ચાર્જ થાય છે ને ડિસ્ચાર્જથી ગલન થાય છે. અને અતિક્રમણ એ ગલન છે. પણ એ

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243