Book Title: Aptavani 14 Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 206
________________ (૧૦) પુદ્ગલની પરિભાષા ! ૩૨૫ ૩૨૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૨). બીજું બધું પુગલ જ છે અને એ પ્રકૃતિ કહો કે પુદ્ગલ કહો. શુદ્ધાત્મા અને પુદ્ગલ બે જ છે આ. અને પરમાણુ છે એ જુદી વસ્તુ છે, એ શુદ્ધ વસ્તુ છે. પરમાણુના મોટા ગઠ્ઠા થયા હોય તોય શુદ્ધ ! પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો ને એ આત્મા સિવાયનું પુદ્ગલ પછી જે કંઈ હોય. દાદાશ્રી : દેહમાં આત્મા સિવાયનું બીજું બધું પુદ્ગલ. પુદ્ગલ વસ્તુ ફરકવાળી જ છે, આત્મામાં ફરક નથી. પણ પુદ્ગલ મિલ્ચર છે. આ જે પુદ્ગલ થયેલું છે તે સ્વભાવિક પુદ્ગલ નથી આ, વિશેષભાવી પુદ્ગલ છે. વિશેષભાવી પુદ્ગલ એટલે આની મહીં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય બધું મિલ્ચર થયેલું છે. સ્વભાવિક પુદ્ગલ હોય તો તો વાંધો નહીં, પણ આ તો મિલ્ચર થયેલું છે. એટલે આનો તાળો મળે જ નહીં ને ! આ પુદ્ગલમાં આત્મા ચેતન વસ્તુ છે, શુદ્ધ ચેતન છે. આ શુદ્ધ ચેતન છે એ સિવાય બીજો ભાગ પુદ્ગલ છે. આત્મા એ પુદ્ગલ નથી. આત્મા પૂરણેય નથી અને ગલનેય નથી. એક જ વસ્તુ છે, ચેતન વસ્તુ. હવે બીજું કશું પૂછવું છે ? પ્રશ્નકર્તા : પુદ્ગલ તો બધા અણુઓનું બનેલું છે ને, પુદ્ગલ. દાદાશ્રી : પુદ્ગલમાં તો બધી, છયે ચીજો (વિભાવિક આત્મા અને બીજા પાંચ તત્ત્વો, મૂળ આત્મા સ્વભાવથી જુદો છે) ભેગી આવી એનું નામ પુદ્ગલ. ખરી રીતે પુદ્ગલ અણુ એકલાનું જ ગણેલું છે પણું ખરું જોવા જાય તો બધુંય ભેગું થાય ને આ પુદ્ગલની મહીં, બધું હોય પણ લોકો એને સમજે કે અણુ એકલાને જ પુદ્ગલ ગયું છે, રૂપી તત્ત્વને. - પુદ્ગલ એટલે પૂરણ થયેલું અને ગલન થયા કરે. ગલન એટલે ડિસ્ચાર્જ અને પૂરણ એટલે ચાર્જ. તે ચાર્જ-ડિસ્ચાર્જ. ચાર્જ આપણે બંધ કરી દઇએ છીએ અને ડિસ્ચાર્જ એકલું રહે છે. આ શરીર આખું જ તત્ત્વોનું સંમેલન છે અને એ પાછું સ્વભાવનું કેવું છે ? વિસર્જન થાય એવું છે. છ તત્ત્વ સંમેલન થયા પછી કહેવાય શું ? પુદ્ગલ કહેવાય. અને પુદ્ગલ પાછું વિસર્જન એની મેળે થયા જ કરે છે. એટલે આ પાંચ ઘોડા છે, પાંચ ઈન્દ્રિયો, તે પાંચ ઘોડાની લગામ છોડી દે. વિસર્જન થયા જ કરે છે નિરંતર. મોક્ષે જવું હોય તો તું લગામ છોડી દે, કહે છે. વ્યવસ્થિતને સોંપી દે લગામ અને તું છોડી દે. આ તો લગામ છોડે શી રીતે, ‘પોતે કોણ છું' એ નક્કી થયા સિવાય ? નહીં તો ‘પાંચ ઇન્દ્રિયો હું જ છું, આ હું જ છું. એટલે ઘોડાયે હું જ છું, હાંકનારેય હું જ છું, ગબડનારેય હું જ છું, બગડી જનારેય હું જ છું, બધું હું જ છું' કહે છે. એટલે જ્ઞાની જ્ઞાન આપીને છૂટો કરે આમાંથી પોતાને, તે છૂટો ર્યા પછી લગામ છોડી દીધી કે તરત ખબર પડી જાય કે આ પુદ્ગલ એની મેળે વિસર્જન થઈ જ રહ્યું છે. દાઢી અટકાવીએ તો અટકે નહીં ને ? અટકે કંઈ ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તેમ આ કશું અટકે એવું નથી. એની મેળે જ વિસર્જન થાય છે. ખાલી ઈગોઈઝમ કરે છે કે “આ મેં કર્યું. મેં કર્યું.’ જેમ દાઢી અટકતી નથી તેમ કશું અટકતું નથી. બધું ચાલ્યા જ કરે છે. પ્રશ્નકર્તા : આ એક સમજવા માંગું છું કે ‘છ તત્ત્વ સંમેલન પુરગલ વિસર્જન.” દાદાશ્રી : એ શું કહેવા માંગે છે કે આ છ તત્ત્વના સંમેલનથી આ જગત ઊભું થયું છે આનું પરિણામ શું આવે છે ? ત્યારે કહે છે, પુરગલ હતું તે વિસર્જન. આ દેહ જભ્યો ત્યારથી વિસર્જન થયા જ કરે છે. તેને પોતે એમ જાણે કે હું તો મોટો થઉં છું. ત્યારે કહે, ના, વિસર્જન થયા જ કરે છે નિરંતર. પુરગલ તો બહુ મોટું હતું. પણ આ વિસર્જન થયા કરે છે, તોય આવડું મોટું શરીર દેખાય છે. જેમ પુદ્ગલ વધારે તેમ કાયા નાની હોય. તે નાનાં છોકરાંઓને પુદ્ગલ વધારે હોય, માલ વધારે ભરેલો

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243