Book Title: Aptavani 02 Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 4
________________ સંપાદકીય દાદા ભગવાન' કોણ ? જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન” સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્યું અધ્યાત્મનું અદ્ભૂત આર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે? કર્મ શું? મુક્તિ શું ? 'ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કરો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટક્ટ !! તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?”નો ફોડ પાડતા કહેતાં કે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન' ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.” જેના એક એક શબ્દ અનંત કાળનો સંસારરોગ નિર્મુળ થઈ જાય, જેની એક ત્રાડે જિજ્ઞાસુનો અનંતકાળનો સુષુક આત્મા જાગૃત થઈ જાય, જેના સુચરણોમાં કાળ, કર્મ અને માયા થંભી જાય, એવા પરમ પૂજય દાદાશ્રીની પ્રગટ સરસ્વતી સ્વરૂપ વાણીનું આ ગ્રંથમાં સંકલન કરવામાં આવ્યું છે. વીતરાગ વાણી કે જે “એ પ્રકૃતિનું પારાયણ પૂરું થયું, તો થઇ ગયો વીતરાગ !” “આપ્ત’ વાણી હોવા થકી તેના પર કોઈ કાળે ચેકો મારી ના શકે; કારણ કે એ સ્યાદ્વાદ વાણીથી કોઈ પણ જીવનું પ્રમાણ ના દુભાય. પ્રગટ પરમાત્માને સ્પશનિ નીકળેલી સહજ કલ્યાણમયી વાણી કે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રસંગને નિમિત્તાધીન નીકળેલી હોય, એવી વાણીનું સંકલન કરવું અતિ અતિ કઠિન છે. નમ્રભાવે જ્ઞાનગ્રંથની સંકલનની ક્ષતિઓ માટે ક્ષમા ચાહું છું. આ જ્ઞાનગ્રંથ ધર્મગ્રંથ નથી, પણ વિજ્ઞાનગ્રંથ છે. એમાં આંતરિક વિજ્ઞાનનો, વીતરાગ વિજ્ઞાનનો, જ્ઞાનાર્ક કે જે પરમ પૂજય દાદાશ્રીના શ્રીમુખેથી પ્રગટયો છે, તે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે; બાકી ‘જેમ છે તેમ' તો તેમના પ્રત્યક્ષ દર્શનથી જ પ્રા થાય તેમ છે. છતાં, તેમની હાજરી જગતના કોઈ પણ ખૂણે હશે ત્યાં સુધી આ જ્ઞાનગ્રંથ યથાર્થ ફળ આપશે. આ જ્ઞાનગ્રંથ તત્ત્વચિંતકો, વિચારકો તથા સાચા જિજ્ઞાસુઓને અત્યંત ઉપયોગી થઈ પડશે. ભાષા સાદી અને તદન સરળ હોવાથી સામાન્યજનને પણ તે પૂરેપુરું ફળ આપી શકશે. સુજ્ઞ વાચકો ઊંડાણથી આ મહાન ગ્રંથનું ચિંતન-મનન કરશે તો અવશ્ય સમકિતને પામશે. તે અર્થે સર્વ શાસન દેવ-દેવીઓની સહાય હો એ જ પ્રાર્થના. આત્મજ્ઞાન પ્રાતિતી પ્રત્યક્ષ લિંક પરમ પૂજય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પુજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્ના હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ રહેશે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે.) - ડૉ. નીરુબેન અમીનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 249