Book Title: Apramad Author(s): Nemchand Gala Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf View full book textPage 3
________________ પ્રવૃત્તિ થાય છે. પણ સમય ક્યારે પણ વીતતો નથી. એતો સદેવ રહે જ છે. પણ માણસ પોતે વીતી જાય છે. મૃત્યુને માટે પાણ કાળ શબ્દ વપરાય છે. માથે કાળ ભમે છે. મૃત્યુ માથે મંડરાય છે. તારો કાળ આવી ગયો છે. તારું મૃત્યુ નજીક છે. શ્રીમાન કાળધર્મ પામ્યા, એટલે મૃત્યુ પામ્યા, કાળધર્મ પામ્યા એટલે કાળે પોતાનો ધર્મ બજાવ્યો. કાળનું તો કામ જ છે મનુષ્ય જીવનને સમાપ્ત કરવાનું, માણસને ઉઠાવી લેવાનું. कलि : शयानो भवति स जाग्रद् द्वापर युगम्। कर्मस्वभ्युद्यतस्त्रेता विचरस्तु कृतं युगम् ॥ (મનુ. ૯.૩૦) અર્થાત્ સમય સૂઈ રહેલા મનુષ્ય માટે કળિયુગ છે, જાગૃતિ માટે દ્વાપર છે, કામ કરવા તૈયાર થયેલા માટે ત્રેતા છે અને જે કાર્યપ્રવૃત છે તેના માટે તો સદાયે સત્યયુગ છે. મનુ મહારાજે ચારે યુગનાં લક્ષણો મનુષ્યના સંદર્ભમાં બતાવી દીધાં છે. આ જ વાત સૂત્રકારે વિસ્તારથી કરી છે. आस्ते भग आसीनस्यो/स्तष्ठति तिष्ठतः । शेते निषद्यमानस्य चराति चरतो भगः॥ चरैवेति। (ઐતરેય પ્રા.) અર્થાત્ બેઠાડુનું ભાગ્ય પણ બેઠેલું રહે છે. ઊભેલાનું અર્થાત કાર્ય કરવા કટિબધ્ધ થયેલાનું ભાગ્ય ઊભું હોય છે. જે પડી રહે છે, સૂતો હોય છે. તેનું ભાગ્ય પણ સૂઈ રહે છે. અર્થાત ભાગ્ય હોય, તો યે ફળદાઈ બનતું નથી, પણ જે ચાલતો રહે છે, શ્રમપરાયણ છે, તેનું ભાગ્ય પણ ચાલતું ફરતું રહે આ સૂત્રમાં પરિશ્રમનો જ મહિમા કર્યો છે. માત્ર મુમુક્ષઓએ જ નહિ, પણ સંસારીએ પણ પ્રતિક્ષણ હર હાલમાં જાગરૂકતા સતત જાળવી રાખવી પડે છે. भयं प्रमत्तस्य वनेष्वपि स्याद् यत: स आस्ते सहषटसपल । जितेन्द्रियस्यात्मरतेर्बुधस्य ग्रणश्रय : किं नु करोत्यवद्यम्॥ (શ્રી મદ્ ભાગવત ૫-૧-૧૭) ની લિ . - ૧૦ . ૦ ૧ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23