Book Title: Anuyogdwar Sutra Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 280
________________ ઉસ્થળ અને હાથમાં અથડાય છે અને પછી નાભિસ્થાનમાં આવીને મોટે અવાજ ઉત્પન્ન કરે છે, એટલા માટે આ સ્વરનું નામ મધ્યમવર છે. અથવા પહેલાની જેમ જ ઉપરની તરફ ઉડતે વાયુ ઉuળ અને કંઠમાં અથડાય છે પછી નાભિધાનમાં પહોંચીને બહુ મોટે અવાજ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે મધ્યસ્થ હોવા બદલ આ સવર મધ્યમ કહેવાય છે. વડ જ વગેરે સવમાં આ સ્વર પાંચમી સંખ્યાને પૂરે છે એટલા માટે આ સ્વરનું નામ પંચમસ્વર છે, અથવા નાભિ વગેરે પાંચ સ્થાનોમાં આ સ્વર સમાવિષ્ટ થઈ જાય છે. એથી આ સ્વર પંચમસ્વર કહેવાય છે આનું લક્ષશ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે નાભિસ્થાનમાંથી જે વાયુ ઉત્પન્ન થાય છે તે વક્ષસ્થળ હૃદય કંઠ અને મસ્તકમાં અથડાઈને પંચમસ્થાનમાં ઉત્પન્ન થાય છે. એટલા માટે આનું નામ આ પ્રમાણે રાખવામાં આવ્યું છે. જે સવર બાકી રહેલા સ્વરાનું અનુસંધાન કરે છે તે “પૈવત” છે. અથવા સંગીત વિશારદનો જે વાર છે, તે પૈવત છે આનું લક્ષ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. “સિવારે ફુન્યા ” આ લેકને અર્થ સપષ્ટ જ છે. જેમાં સ્વર સ્થિર થાય છે તેનું નામ નિષાદ સ્વર છે. આ સ્વર બધા સ્વરેને પરાભૂત કરે છે કેમ કે આનો દેવ આદિત્ય છે જે આ સાત વર છે તે જીવ અને અજીવ બને ને આશ્રિત રહે છે. આમ તીર્થકર ભગવંતે કહ્યું છે. શંકા-કાર્ય કારણેને અધીન હોય છે. આ સાત સ્વર રૂપ કાર્યના કારણે જિહા વગેરે છે. આ જિ હા વગેરે કારણે હીન્દ્રિય વગેરે ત્રસ જીવે અસંખ્યાત હોવાથી અસંખ્યાત છે અજીવ નિરકૃત સ્વરોના વિષયની તે વાત જ શી કરવી? એટલા માટે સ્વરોના સાત પ્રકારો ચોગ્ય કહેવાય નહિ. ઉત્તર-વિશેષની અપેક્ષાથી સ્વર છે કે અસંખ્યાત છે છતાં એ આ બધા અમrખ્યાત સો સામાન્ય રૂપથી આ સાત સ્વરોમાં જ અન્તત થઈ જાય છે. અથવા સત્રકારે જે “સાત સ્વરો છે” આમ કહ્યું તે પૂલ રવરો અને ગીતને લઈને કહ્યું છે આમ જાણવું જોઈએ કેમ કે બીજા જેટલા સ્વરો છે તે બધા એજ સાત સ્વરોમાં સમાવિષ્ટ થઈ જાય છે એટલા માટે વર સાત છે આ જાતના કથનમાં કોઈ પણ જાતને દોષ નથી. સૂ૦૧૬રા અનુયોગ દ્વાર સુત્રમ ૨૬૯

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297