Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 13
________________ ( ૬ ) અંતર્વા એક અત્યંત વિશાળ મહેલ છે, ખૂબ જ ચિત્તાકર્ષક ! એ મહેલના અંદર શું છે ? એની વિગતો સાથે રહેલો ગાઈડ આપી રહ્યો છે... સાંભળતાં - સાંભળતાં વિસ્મયની લાગણી ઉભરાય છે. હવે માત્ર એક જ ઝંખના થાય છે કે આ મહેલ ગમે તેમ કરીને મારે સાંગોપાંગ જોવો છે. પણ પહેલો જ પ્રશ્ન ઉભો થાય કે આ ભવ્ય મહેલનો પ્રવેશદ્વાર ક્યાં છે ? પ્રવેશદ્વાર વગર અંદર જવાય નહીં અને અંદર ન જઈએ ત્યાં સુધી અંદરની ઝાકઝમાલ દૃષ્ટિગોચર થાય નહીં. પૂજ્ય સૂરિપુરંદર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ ‘અનેકાંતજયપતાકા’ ગ્રંથની અદ્ભુત રચના કરી અને એ ગ્રંથના પ્રવેશદ્વાર સમાન આ ‘અનેકાંતવાદપ્રવેશ’ ગ્રંથની રચના કરી મહાન ઉપકાર કર્યો છે. જે રીતે આચાર્યશ્રી વાદિદેવસૂરિજીએ ‘સ્યાદ્વાદરત્નાકાર' નામના મહાકાય ગ્રંથની રચના કરી અને એમના શિષ્ય આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજીએ એ ગ્રંથમાં પ્રવેશ માટે ‘રત્નાકરાવતારિકા' ગ્રંથની રચના કરી, એ જ રીતે અહીં પોતે જ સૂરપુરંદર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ પોતાના ગ્રંથ ઉપર અવતારિકા સમાન આ ગ્રંથની રચના કરી અદ્ભુત - અદ્ભુત ઉપકાર કર્યો છે... આ ગ્રંથ પર મુનિશ્રી યશરત્નવિજયજીએ સરસ વિવેચન લખી શ્રુતભક્તિનું સુંદર કામ કર્યું છે. ભવિષ્યમાં દ્રવ્યાનુયોગના ક્લિષ્ટ ગ્રંથો ખોલી સ્વ-૫૨ની આરાધનામાં ઉજમાળ બની મોક્ષ પામે એ જ શુભેચ્છા... Jain Education International For Personal & Private Use Only આચાર્ય વિજય ગુણરત્નસૂરિ..... www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 240