Book Title: Anand Ja Anand Che Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 2
________________ અભતા નહીં, અનિયમિતતા ખતરનાક ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦છે હું પ્રતિકૂળતાને પણ ચાહું છું હું : ‘હું પ્રકાશને ચાહું છું કારણ કે એ મને રસ્તો બતાડે છે પરંતુ આ હું અંધકારનેય માણીશ કારણ કે એ મને તારાઓ બતાડે છે' ક્યાંક ૨ 9 વાંચવામાં આવેલ આ વાક્યને આપણે સંયમજીવનમાં એક અલગ છે જ દૃષ્ટિકોણથી કામે લગાડવાનું છે. આ રહ્યો એ દૃષ્ટિકોણ. ૭ © ‘હું સંયોગોની અનુકૂળતાને ચાહું છું કારણ કે એ મને છે ૦ આરાધનાના માર્ગે દોડતો રાખવામાં સહાયક બને છે પરંતુ પ્રતિકૂળ ૦ જ સંયોગોને પણ હું ચાહું છું કારણ કે એ મને કર્મનિર્જરામાં સહાયક છે દૂધમાં સાકરની અલ્પતા જો દૂધની સ્વાદિષ્ટતા માટે પ્રતિબંધક બને છે તો સંપત્તિની અલ્પતા સંસારી આત્મા માટે ત્રાસદાયક બની રહે છે. શબ્દોમાં માધુર્યની અલ્પતા જો સંબંધોની આત્મીયતા માટે ખતરારૂપ પુરવાર થાય છે તો ગાડીમાં પેટ્રોલની અલ્પતા મંજિલે પહોંચવામાં વિલંબરૂપ પુરવાર થાય છે. પણ સબૂર ! સંયમજીવનમાં અલ્પતા એટલી જોખમરૂપ પુરવાર નથી થતી જેટલી જોખમરૂપ અનિયમિતતા પુરવાર થાય છે. આજે ગોચરી અગિયાર વાગે ગયા, એ જ ક્ષેત્રમાં બીજે દિવસે ગોચરી દસ વાગે ગયા. આજે વિદ્યાગુરુ પાસે અગિયાર વાગે પાઠ લેવા ગયા અને બીજે દિવસે પાઠ લેવા ગયા જ નહીં. ગઈ કાલે પ્રતિલેખન બપોરના ત્રણ વાગે કર્યું અને આજે ચાર વાગે કર્યું. શું ચાલે ? ‘ાજે વાત્કસમારે” આ સૂત્રને અમલી આપણે નહીં બનાવીએ તો બીજું કોણ બનાવશે? આવો, આરાધના અધિક ન કરી શકીએ તો કાંઈ નહીં પણ અનિયમિતતાના દોષથી તો જાતને મુક્ત કરીને જ રહીએ ! 0000606 ( બને છે. તે યાદ રાખજો . અહીં તો કર્મસત્તાનું એકછત્રી સામ્રાજ્ય છે. આ આ એક કલાક પહેલાં પ્રચંડ પુણ્યોદય અને બીજા જ કલાકે તીવ્ર જ પાપોદય. હમણાં બધું જ અનુકૂળ અને આવતીકાલે બધું જ છે © પ્રતિકૂળ. જો અભિગમ સમ્યફ નહીં હોય આપણી પાસે તો શું 9 ૦ ટકાવી શકશું આપણે મનની પ્રસન્નતા ? અને મનની પ્રસન્નતા ૦ 9 જ નહીં હોય આપણી પાસે તો શું જામી શકશું આપણે જે સંયમજીવનમાં ? s®૦૦૦૦૦૦૦૦૦૦૦Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 51