Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 244
________________ અણગારનાં અજવાળા ] [ ૨૨૧ સંપ્રદાયમાં ગુરુદેવ પૂ. શ્રી કેશવલાલજી મ.સા. અને પૂ. શ્રી લીલાવતીબાઈ મ.સ.ના તેઓ શિષ્યા થયાં. એ શુભ દિવસ હતો સં. ૨૦૧પના પોષ સુદિ ૧૩. તેમના જીવનનો મોડ બદલાયો. નવી દિશા અને નવી કેડી ઉપર પૂ. ગુરુને સમર્પિત થઈ જ્ઞાનના સૂર્યના પ્રકાશ તરફ પુનીત પગલાં પાડ્યાં. તેમણે ૨૩ આગમો કંઠસ્થ કર્યા. તેમના ભાઈશ્રી શાંતિભાઈ અને પૂ. શ્રી ગુરુણીને પૂ. શ્રીની પ્રગતિ વિષે પૂછતા ત્યારે પ્રસન્નવદને ગુરુણીનાં મુખમાંથી સહજ જવાબ નીકળતો કે આ તો હીરો છે. પહેલા પડી રહ્યા છે. પછી તેનો ચળકાટ જોજો. આ પવની ગુણોની પાંખડીઓ ધીમે ધીમે ખૂલી રહી હતી. ગુરુકૃપા વરસી રહી હતી. પણ પછી તેમને શ્વાસનું દર્દ થયું. વધતું ગયું. પણ સમભાવે શાંતિથી સહન કરતાં રહ્યાં છે. ખરેખર! આવા અનેક પરિષહો અને ઉપસર્ગો વચ્ચે જેટલે અંશે તે સમભાવે જીવી શકે તેટલે અંશે તેમની શ્રમણસાધના સફળ થઈ ગણાય. તેઓ કરુણાના સાગર છે. શ્રાવકોને ધર્મમાર્ગે દોરે છે. અન્ય સંપ્રદાયનાં પૂ. સતીજીઓ પ્રત્યે કોઈ ભેદભાવ નહીં. સર્વ પ્રત્યે સમભાવથી વર્તે છે. કર્તવ્યસૂઝ ઘણી અને કોઈને પણ અશાતા વેદનીમાં સેવા કરી શાતા ઉપજાવે છે. “લીલમ મંડળ”નાં તેઓ ડૉક્ટર ગણાય. પહેલાં તેમની ટ્રીટમેન્ટ શરૂ થાય. પૂ. શ્રી લીલાવતીબાઈ સ્વામીની અંતિમ વિદાય પછી તેમના હાથમાં નેતૃત્વનો દોર સોંપાયેલો છે અને બરાબર રીતે બધાને સંભાળે છે. સાધારણ ઉદાહરણો આપીને સુંદર ભાવો દ્વારા લોકોને આધ્યાત્મિક તત્ત્વો તરફ ખેંચી લેવાની કલા તેમની પાસે અદ્ભુત છે. આવાં પૂ. શ્રી પ્રજ્ઞાબાઈ સ્વામીને અગણિત વંદન હો...! णारई सहए वीरं, वीरे नो सहए रई। जम्हा अविमणे वीरे, तम्हा वीरेण रहवई।। આવો સમભાવી સાધક વીર અને સ્થિરબુદ્ધિ (સ્થિતપ્રજ્ઞ) હોય છે. તેથી એનું ચિત્ત કોઈપણ સંયોગોમાં આસક્ત થતું નથી અને આસક્તિ એ જ શોક અને હર્ષનું કારણ છે. (આચારાંગ સૂત્ર) ક

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298