Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૨/૬/૯
૧૮૬
૧૮૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
કારણમાં કાર્યનો ઉપચાર કરીએ તો પોતાના વિવિધ પ્રમાદથી બંધાયેલા કર્મો વડે અવસ્થા વિશેપને ભોગવે છે. જેમકે-એકેન્દ્રિયાદિ, કલલ આદિથી જન્મેલા બાળક પર્યન્તની. તેમાં વ્યાધિ, દારિદ્ર, દૌભાગ્ય આદિને ભોગવે છે.
તે સંસારમાં કે ઉક્ત અવસ્થામાં પ્રાણીઓ પીડાય છે તે કહે છે - પોતાના કરેલ પ્રમાદથી જનિત કર્મો વડે ચારગતિ-સંસારમાં એકેન્દ્રિયાદિ અવસ્થામાં પ્રાણીઓ પીડાય છે. સુખને માટે આરંભમાં પ્રવૃત થઈ મોહથી ધમને બદલે અધર્મ કરીને ગૃહસ્થ, પાખંડી કે વેશધારી પીડાય છે.
આ રીતે પાપથી પીડાતા પ્રાણીને જોઈને શું કરવું ? આ સંસાર ભ્રમણમાં સ્વકૃત કર્મફળ ભોગવતા, ગૃહસ્થ વડે કે પરસ્પર પીડા આપતા-કર્મનાં ફળ ભોગવતા પ્રાણીને જોઈને પંડિત સાધુએ નિશ્ચયથી તેનો ત્યાગ કરવો અર્થાતુ નિશ્ચયથી પ્રાણીને જુદા જુદા દુ:ખોની અવસ્થા જેમાં થાય નિકરણ અને તે જ શુભકર્મ શરીરમનના દુ:ખનું ઉત્પાદક છે, તે કમને સાધુ ન કરે - જેથી પ્રાણીને પીડા થાય. તેથી શું થાય ? - કહે છે
આ જે સાવધ વેપારની નિવૃતિરૂપ-પરિજ્ઞા છે તે જ પ્રકર્ષથી પરિજ્ઞાન છે. પણ શૈલેષ'ની માફક મોક્ષફળ હિત જ્ઞાન નથી. આ પ્રમાણે ‘જ્ઞ’ અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પ્રાણી હિંસા ત્યાગ વડે સાધુને કર્મો ઉપશાંત થાય, સંસાવૃક્ષના બીજરૂપ
ગ-દ્વેષ નાશ પામે. જે જીવ હિંસા ક્રિયાની નિવૃત્તિથી થાય છે. હવે કર્મક્ષયમાં વિનરૂપ - * - મમત્વ દૂર કરવા કહે છે–
• સૂત્ર-૧૦૦,૧૦૧ *
જે મમત્ત બુદ્ધિનો ત્યાગ કરે છે, તે મમત્વનો ત્યાગ કરે છે. તે જ મોફામાનિ જોનાર મુનિ છે, જેને મમત્વ નથી. એવું જાણીને મેધાવી લોકસ્વરૂપને જાણે, લોકસંજ્ઞા ત્યાગ કરી સંયમમાં પુરુષાર્થ કરે - એમ હું કહું છું.
વીર સાધક આરતીને સહન કરતો નથી. રતિને પણ સહન કરતો નથી. તે વીર બંનેમાં અતિમનસ્ક-સ્થિર થઈ રતિઅરતિમાં રામ ન કરે.
• વિવેચન -
પરિગ્રહના વિપાકનો જ્ઞાતા સાધુ મારાપણાં-“મમત્વ'ની મતિને છોડે છે. આ પરિગ્રહના દ્રવ્યથી, ભાવથી બે ભેદ છે. પરિગ્રહની બુદ્ધિ છોડવાથી ભાવ પરિપ્રશ્નો નિષેધ કર્યો. પરિગ્રબુદ્ધિ વિષયના પ્રતિષેધથી બાહ્ય દ્રવ્યપરિગ્રહ પણ ત્યાગ થયો અથવા પરિગ્રહના વિચારનું મલિન જ્ઞાન છોડે, તે જ પરમાર્થથી બાહ્ય અત્યંતર પરિગ્રહ છોડે છે.
અહીં ભાવ એવો છે કે, જેમ સાધુ નગરમાં રહે કે પૃથ્વી પર બેસે છતાં જિનકપીકને નિપરિગ્રહતા જ છે. જો એમ હોય તો શું ? તે કહે છે, જે મુનિ જાણે છે કે, મોક્ષમાં વિદળનો હેતુ અને સંસારભ્રમણનું કારણ હોવાથી પરિગ્રહ-મમવથી છુટવાના અધ્યવસાયવાળા મુનિ જ દેખતા છે. તેણે જ જ્ઞાનાદિ મોક્ષપથ જોયો છે. તે “દોટપથ’ છે.
અથવા ‘દષ્ટભય’ લઈએ તો શરીરાદિના મમવથી જે સાત પ્રકારનો ભય સાક્ષાત્ દેખાય છે અથવા વિચારતા પરંપરાએ જણાય છે તેથી પરિગ્રહ ત્યાગથી ‘જ્ઞાતભયવ' થાય છે. આ વાત સાષ્ટ કરતા કહે છે, જેને પરિગ્રહ મમત નથી તે દષ્ટભાવ મુનિ છે. આ પરિગ્રહને બંને પરિજ્ઞાચી જાણીને મેધાવી મુનિ પરિગ્રહઆગ્રહી એકેન્દ્રિયાદિ જીવ લોકને દુઃખી જાણીને પ્રાણીગણની દશ પ્રકારની સંજ્ઞાને ત્યાગે. તે મુનિ સ-અસત્ વિવેકજ્ઞ છે. તેને ગુરુ કહે છે - તું સંયમ અનુષ્ઠાનમાં યોગ્ય ઉધમ કર.
અથવા આઠ પ્રકારના કર્મના મૂળ રાગદ્વેષાદિ છ શખુ વર્ગને કે વિષયકષાયને જીતવા પરાક્રમ કર. એવું હું કહું છું.
તે મુનિ સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરનારો, પરિગ્રહ આગ્રહને છોડનાર મુનિ કેવો થાય છે ? તે કહે છે - તે ઘર, સ્ત્રી, ધન, સોનુ આદિ પરિગ્રહ છોડનાર સંયમ અનુષ્ઠાન કરતા સાધુ કદાચિત મોહનીય ઉદયથી અરતિ થાય, તો પણ સંયમ સંબંધી અરતિને ન સહે. વધુ વૈરાગ્યથી આઠ પ્રકારના કર્મશગુને પ્રેરીને શકિતમાન બનેલ વીર અસંયમમાં કે વિષયપરિગ્રહમાં રતિ ન કરે. સંયમમાં અતિ કે વિષયમાં તિથી “વિ-મન થઈ શબ્દાદિમાં રામ ન કરે. તેથી તિ-અરતિના ત્યાગથી ખેદ વાળો ન થાય તેમ તેમાં સગ પણ ન કરે તે બતાવે છે–
જેણે રતિ-અરતિમાં મન ન લગાડ્યું તે વીર છે. જે વીર છે તે શબ્દાદિ ઇન્દ્રિય વિષયમાં આસક્તિ ન કરે. તો શું કરે ? કહે છે–
• સૂરણ-૧૨,૧૦૩ :
મુનિ શબ્દ (કાવત) અને સહન કરે છે. આ અસંયમ જીવિતના આનંદથી વિરક્ત થાય છે. મુનિ મૌનને ગ્રહણ કરી કર્મ શરીરને દૂર કરે.
તે સમત્વદશ વીર સાધક લુખા-સુકા આહારનું સેવન કરે. તે સમદર્શી મુનિ તીર્ણ, મુક્ત, વિરd કહેવાય છે. તેમ હું કહું છું.
• વિવેચન :
જેથી સાધુ રતિ અરતિને ત્યાગી મનોજ્ઞ શબ્દાદિમાં રાગ ન કરે, અમનોજ્ઞમાં હેપ ન કરે. તેથી મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દ, સ્પર્શને સમ્યક રીતે સહન કરે - x • શબ્દ અને સ્પર્શના ગ્રહણથી રૂપ, રસ, ગંધ પણ ગ્રહણ કરવા. કહ્યું છે કે, પ્રિય અપ્રિય શબ્દો સાંભળી સાધુ ખુશ કે નાખુશ ન થવું. - ૮ - શબ્દાદિ વિષયમાં મધ્યસ્થતા રાખનાર શું કરે ? વિનેય-શિષ્યને કે મુમુક્ષુને આ ઉપદેશ છે.
ઐશ્વર્ય, વૈભવથી થતી મનો પ્રસન્નતા દૂર કર. આ લોકમાં સંયમ જીવિતને ત્યજી દે. મને આવી ઉત્તમ સમૃદ્ધિ મળી છે - મળશે એવા વિકલા જનિત આનંદને નિંદ. પાપના કારણરૂપ અસ્થિર સમૃદ્ધિથી શું લાભ ? કહ્યું છે કે વૈભવનો મદ શા માટે ? વૈભવ જતાં ખેદ કેમ ? રિદ્ધિ તો હાથમાં રમવાના દડા માફક પડે અને ઉછળે. રૂપમદમાં સનતકુમારૂં જાણ.
અથવા પાંચ અતિચારને નિંદ-રોક-અટકાવ. મુનિ ત્રિકાળ-વેદી છે. મુનિનું