Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૩/૧/૧૧૦
૧૯૩
૧૯૪
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દાદિ છે તે સામે આવતા અનુકૂળ-પ્રતિકૂળ લાગે છે; તેવું જે મુનિ જાણે તે લોકો જાણે છે, તેથી કહે છે કે ઇષ્ટ વિષયમાં રાગ ન કરે, અનિટમાં દ્વેષ ન કરે, તે જ તેનું ખરી રીતે જાણવાપણું છે, પણ બીજું નથી. અથવા આ લોકમાં જ શબ્દાદિ દુ:ખને માટે થાય છે, તો પરલોકનું તો શું કહેવું ? કહ્યું છે કે
હરણ શબ્દમાં ક્ત થઈને, હાથી સ્પર્શમાં, માછલું રસમાં, પતંગીયું રૂપમાં, સાપ સુગંધમાં રક્ત થઈને ખરેખર નાશ પામ્યા છે. આ રીતે પાંચમાંથી એકમાં
પ્ત થયેલ પરમાર્થથી અજાણ તે પાંચે નાશ પામ્યા છે. તેમ મૂર્ખ એકલો પાંચમાં રક્ત બની નાશ પામે છે અથવા શબ્દમાં ભદ્રા, રૂપમાં અર્જુન ચોર, ગંધમાં ગંધપ્રિયકુમાર, રસમાં સૌદાસ અને સ્પર્શમાં સત્યકી આદિ નાશ પામ્યા. પરભવમાં નાકાદિ યાતના ભય રહે છે.
આ પ્રમાણે શબ્દાદિ વિષયને દુ:ખદાયી સમજી તજી કેવા ગુણ પામે ? • સૂત્ર-૧૧૧
તે આત્મવાન, જ્ઞાનવાન, વેદનાન, ધર્મવાન, બહાવાન પા વડે લોકને ગણે છે; તે મુનિ કહેવાય છે. તે ધર્મવિદ્દ, ઋજુ હોય છે. સંગને આવત શ્રોતરૂપે જાણી લે છે.
• વિવેચન :
જે મુનિ મોહનિદ્રામાં સુતેલા લોકમાં દુઃખ-અહિતને જાણે તે લોક સમયદર્શી છે. તે શાથી દૂર રહી શબ્દાદિ કામગુણોને દુ:ખના હેતુરૂપે જ્ઞ પરિજ્ઞા વડે જાણે પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ભાગે. તે મુમુક્ષુ આત્મવાનું છે. જ્ઞાનાદિકવાળો આત્મવાનું છે. શબ્દાદિ ત્યાગથી આત્મા રક્ષિત થાય છે. અન્યથા નારકાદિમાં ઉત્પન્ન થતાં આત્મા મોક્ષ કાર્ય ન કરીને આત્મા કઈ રીતે ગણાય ? પાઠાંતરથી તેને જ જ્ઞાનવાનું જાણવો.
આત્માને નરકાદિમાં પડતા અટકાવે તે આત્મવિદ્. યથાવસ્થિત પદાનિ જાણે તે જ્ઞાનવિ. જીવાદિ સ્વરૂપ જેના વડે જાણે તે વેદ-આગમ જાણે તે વેદવિદ્. સ્વર્ગમોક્ષમાર્ગ ધર્મને જાણે તે ધર્મવિ. કર્મરૂપ મળથી રહિત યોગીના સુખને જાણે તે બ્રાહ્મવિદ્ છે. • x • આ પ્રમાણે પ્રકર્ષથી ડ્રેય પદાર્થો જાણે તે “પ્રજ્ઞાન’ છે. તે મતિ આદિ છે જેના વડે યથાવસ્થિત જીવલોક કે તેના આધારરૂપ ક્ષેત્રને જાણે છે. તે જ શબ્દાદિ વિષય સંગનો પરિહર્તા યથાવસ્થિત લોક સ્વરૂપનો જ્ઞાતા છે.
મુનિ એટલે ઉકત આમવાનું આદિ ગુણવાળો. જગતની ત્રણે કાળની અવસ્થાને માને કે જાણે તે મુનિ. ‘ધર્મ” એટલે ચેતન-અચેતન દ્રવ્યના સ્વભાવરૂપ અથવા શ્રુતચાત્રિરૂપ. તેને જાણે તે ધર્મવિ.
- જ્ઞાનાદિ મોક્ષમાર્ગના અનુષ્ઠાનથી અકુટિલ તે ઋજુ અથવા યથાવસ્થિત પદાર્થ સ્વરૂપ જ્ઞાનથી ઋજુ છે. -> • ધર્મવિદ્ ઋજુ મુનિ જન્મ, જરા, મરણ, રોગ, શોકવાળા સંસાર રૂ૫ ભાવાવર્ત જાણીને ત્યાગે. કહ્યું છે, રાગ-દ્વેષ વશ મિથ્યાદર્શનથી જગતુ દુસ્તર અને જન્માવર્તી ક્ષિપ્ત છે. પ્રમાદથી તેમાં જીવો ઘણું ભમ્યા છે. ભાવશ્રોત[1/13
શબ્દાદિનો અભિલાષ છે.
ઉક્ત આવર્ત-શ્રોતમાં રાગદ્વેષથી સંબંધ થાય છે તેને જાણીને * * * * * ત્યાગે. તે જ આવર્ત શ્રોતના સંગનો ખરો જાણનાર છે. * * *
• સૂત્ર-૧૧૨ :
તે નિન્ય શીત-ઉષ્ણ સુિખ-દુઃખ ના ત્યાગી છે, અરતિ-રતિ સહન કરે છે. ‘સ્પર્શને વેદત નથી. જાગૃત અને વૈરથી ઉપરત છે. હે વીર ! એ રીતે દુઃખથી મુક્તિ પામીશ. વૃદ્ધત્વ અને મૃત્યુ વશ મનુષ્ય સતત મૂઢ રહે છે તે ધમની જાણી શકતો નથી.
• વિવેચન :
તે બાહ્ય-અંતર્ ગ્રંથરહિત થઈ શીત-ઉષ્ણ ત્યાગી સુખ-દુ:ખને ન ગણનાર શીત-ઉણરૂપ પરીષહને સમભાવે સહેતો સંયમમાં રતિ અસંયમમાં અરતિયુકત થઈ પરીષહ-ઉપસર્ગોની કઠોર પીડા સહે અથવા કર્મ ખપાવવા ઉધત બની તે પીડાને અવગણે. જો સંયમ કે તપથી શરીર પીડાથી કઠોરતા આવે અથવા કમલેપ દૂર થતાં સંસારથી ઉદ્વેગ પામી મુમુક્ષુ નિરાબાધ સુખનો ચાહક બની સંયમ-તપનો ખેદ સહે.
અસંયમ નિદ્રા દૂર થતાં લાગે છે. અભિમાનથી થતી અદેખાઈ, બીજાનું બગાડવાનો વિચાર તેāર છે તે વૈચી દૂર હોવાથી જાગર અને વૈર ઉપરત ગુણવાળો વીર બને છે તે કર્મશણુ દૂર કરવાની શકિતવાળો છે. હે વીર ! તું આવો બની પોતાને કે બીજાને દુ:ખ-દુઃખના કારણોથી બચાવીશ.
ઉક્ત ગુણરહિત દુ:ખના પ્રવાહમાં સંગ કરીને ઉંઘતો રહીને જરામૃત્યુને વશ થઈને • x • મૂઢ બની સ્વર્ગ-મોક્ષદાયી ધર્મને જાણતો નથી. સંસારમાં જીવને જોવું કોઈ સ્થાન નથી જ્યાં જરા-મૃત્યુ ન હોય. દેવતામાં પણ જરાનો સદ્ભાવ છે. આગમમાં પણ કહ્યું છે કે દેવો સમાન રૂપવાળા નથી. - X - X - માળા કરમાવી આદિ - x - દેવની જરાના લક્ષણો છે.
બધાં જીવો જરા-મૃત્યુવશ છે, તે જાણી પંડિત મુનિ શું કરે ? • સૂત્ર-૧૧૩ :
મનુષ્યને દુઃખથી આતુર જોઈને અમિત થઈ વિચરે. હે મતિમાન ! મનન કરી તે દુ:ખીન છે. આ દુ:ખ હિંસા જાનિત છે. માટી-પ્રમાદી વારંવાર જન્મ લે છે. શબ્દ-રૂપની ઉપેક્ષા કરનાર ઋજુ અને ‘મારાભિશાંકી’ મૃત્યુથી મુક્ત થાય છે. જે કામ પ્રત્યે આપમત છે, પાપકમોંથી દૂર છે, તે વીર, આત્મગુપ્ત અને ખેદજ્ઞ છે. જે પચયિનિમિત્ત શસ્ત્રના ખેદને જાણે છે, જે આશઅ-સંયમનો ખેદજ્ઞ છે, તે સંયમનો ખેદજ્ઞ છે. કર્મમુક્તને કોઈ વ્યવહાર હોતો નથી કર્મોથી ઉપાધિ થાય છે. તે કમનું સારી રીતે પ્રતિલેખન કર
વિવેચન :તે ભાવ જાગૃત મુનિ ભાવનિદ્રા જનિત શરીર-મનના દુ:ખોથી આતુર