Book Title: Agam Jyot 1968 Varsh 03
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 278
________________ પુસ્તક ૪-શું ચોથા પંચાશક સંબંધી એકથી પાંચ પ્રશ્નોત્તરે પ્રથમ વર્ષના ચોથા પુસ્તક (પૃ. ૨૫ થી ૨૭)માં તથા છ થી ચૌદ પ્રશ્નોત્તર દ્વિતીય વર્ષના ચોથા પુસ્તક (પૃ. ૨૯ થી ૩૪) માં અપાયા છે. તે પછીના અહીં અપાય છે. ) પ્ર. ૧૫ છ કાયના વધરૂપ અનુચિત હિંસા દ્વારા કરાએલી પૂજા, તે શુદ્ધ ગણાય છે તેનાથી તીર્થકરેને કંઈ ઉપકાર થતું હોય, પણ પૂજા તીર્થકરોને ઉપકારક બનતી નથી. કારણ કે તીર્થકરો વીતરાગ છે, તેથી તે પૂજા તેમને આનંદ ઉપજાવવાવાલી થતી નથી છતાં દેખીતા દેષવાળી પૂજા, શુદ્ધ છે, એમ કેમ કહે છે? ઉ૦ – તીર્થકરે વિતરાગ અને કૃતકૃત્ય છે, તેથી તેમને કરાતી પૂજાથી તે પૂને આનંદ ઉપજાવવા સ્વરૂપ ઉપકારને અસંભવ હોવા છતાં પૂજા કરનાર પૂજકને તે પુણ્યાનુબંધી પુણ્ય અને નિજર લક્ષણ ઉપકારને અવશ્ય સંભવ છે. જેમ મંત્ર-વિદ્યાના અધિષ્ઠાતા એવા સેવ્યને મંત્રનું આરાધન અનુપકારી હોવા છતાં સેવકને જેમ ઉપકારી છે તેમ અહિં પણ સમજવું. વળી જિનેશ્વરની પૂજામાં ષડુ જીવનિકાયની સ્વરૂપ હિંસા છે, તે પણ યતના વિશેષથી પ્રવર્તમાન મલિનારંભી ગૃહસ્થને સર્વથા હિંસા લાગતી નથી. એટલે પૂજા શુદ્ધ છે. કુપખનનના દષ્ટાંતમાં જેમ થાક, તૃષાનું વધવું ને કાદવ લાગવારૂ૫ મલિનતા વિગેરે દે હોવા છતાં જલની પ્રાપ્તિમાં તે દે દૂર થવા પૂર્વક સ્વ પર ઉપકાર થાય છે, તેવી રીતે અજયણથી પ્રભુપૂજામાં કાયવધ થાય તે પણ શુભ અધ્યવસાય રૂપ જલદ્વારા એ વિશિષ્ટ કર્મના નારા સાથે પુણ્યાનુઅંધી પુણ્યરૂપ ગુણ સંપાદન છે.

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312