Book Title: Yogmahatmya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 80
________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧ (૫) આસ્વાદ=રસનેન્દ્રિયજન્ય જ્ઞાન. આસ્વાદનો અર્થ રસનેન્દ્રિયજન્ય જ્ઞાન કેમ કર્યો, તે સ્પષ્ટ કરે છે આવા દ્વારા-રસનેન્દ્રિય દ્વારા, આસ્વાદ કરાય છે, એથી કરીને આસ્વાદ રસનેન્દ્રિયજન્ય જ્ઞાન છે, જેના પ્રકર્ષથી=સ્વાર્થસંયમને કારણે થનારા રસનેન્દ્રિયજન્ય જ્ઞાનના પ્રકર્ષથી, દિવ્યરસની સંવિત્ થાય છે. (૬) વાર્તા=ગંધની સંવિતિ=જ્ઞાન. વાર્તા શબ્દનો અર્થ ગંધસંવિત્ કેમ કર્યો ? તે સ્પષ્ટ કરે છે ‘વૃત્તિ’ શબ્દથી તાંત્રિકી પરિભાષાથી=પાતંજલદર્શનની શાસ્ત્રીય પરિભાષાથી, ઘ્રાણેન્દ્રિય કહેવાય છે. ‘વૃત્તિ’ શબ્દથી ઘ્રાણેન્દ્રિય કેમ ગ્રહણ થાય ? તે સ્પષ્ટ કરે છે વર્તમાન એવા ગંધના વિષયમાં પ્રવર્તે છે એથી કરીને વૃત્તિમાં= ઘ્રાણેન્દ્રિયમાં, થતારી વાર્તા તે ગંધસંવિત્ છે, જેના પ્રકર્ષથી=સ્વાર્થસંયમથી થનાર ઘ્રાણેન્દ્રિયજન્ય જ્ઞાનના પ્રકર્ષથી, દિવ્ય ગંધનો અનુભવ થાય છે અને આ વિત્તિઓ=જ્ઞાનો, થાય છે. ..... ૫૩ - નવુંવતમ્ - તે=સ્વાર્થસંયમથી પ્રાતિભાદિ જ્ઞાનો થાય છે એમ પૂર્વમાં કહ્યું તે, પાતંજલયોગસૂત્ર-૩/૩૬માં કહેવાયું છે. “તત: નાયતે”, “તેનાથી=સ્વાર્થસંયમથી, પ્રાતિભ, શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તા થાય છે.” ..... एताश्च સિદ્ધયઃ, અને આ=પૂર્વમાં કહેલી વિત્તિઓ=જ્ઞાનો, પ્રકર્ષને પામતી છતી સમાધિનાં વિઘ્નો છે; કેમ કે હર્ષ અને વિસ્મયાદિકરણ દ્વારા તેનું શિથિલીકરણ છે=સમાધિનું શિથિલીકરણ છે, અને વ્યુત્થાનમાં= વ્યવહારદશામાં, સમાધિના ઉત્સાહનું જનન હોવાથી અને વિશિષ્ટ ફળ આપવાપણું હોવાથી સિદ્ધિઓ છે. Jain Education International યત વતમ્ - જે કારણથી પાતંજલયોગસૂત્ર-૩/૩૭માં કહેવાયું છે. “તે .... સિદ્ધયઃ” ।।‘તે=પાતંજલયોગસૂત્ર-૩/૩૬માં બતાવેલ ફળવિશેષો સમાધિમાં ઉપસર્ગો છે. વળી વ્યુત્થાનમાં સિદ્ધિઓ છે.”. ।।૧૧। For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148