Book Title: Yogdrahti Samuchchaya Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 406
________________ (૭૧૮ ) યોગદૃષ્ટિસમુચ્ચય નથી, અને વમન થતું નથી કે અજીણુ ઉપજતું નથી, પણ ખરાખર પાચન થઇ એકરસખની શરીરની સ ધાતુને પુષ્ટ કરે છે. તેમ સાચી ઈચ્છારૂપ રુચિભાવથી કરેલા પરમાર્થરૂપ પરમાન ભાજનમાં સાચી મીઠાશ આવે છે-સવેગ માધુ નીપજે છે, સત્ય તત્ત્વના કાળીએ હાંસે હેસે એની મેળે ગળે ઉતરે છે–સહેજે અંતમાં હસે છે, પરાણે ઉતારવા પડતા નથી, મતાગ્રહથી તાણુખેંચ કરીને ઠસાવવા પડતા નથી, અંતમાં ઠરે છે, અરુચિરૂપમેળ આવતી નથી, દાંભિક ડાળધાલુ દેખાવરૂપ તેનું વમન થતું નથી, કે અભિમાનરૂપ અજીર્ણ-અપચા ઉપજતા નથી; પણ અતરાત્મપરિણામરૂપે, ખરાખર પરિણત થઈ-પાચન થઇ એક પરમ અમૃતરસરૂપ બની આત્માની સર્વ ધાતુનેશુદ્ધ સ્વભાવ ભાવને પુષ્ટ કરે છે. આ દૃષ્ટાંત ઉપરથી, રુચિનુ ઇચ્છાનું સન્માગ –પ્રવેશમાં કેટલું બધુ મહત્વ છે, • ઇચ્છે છે જે ોગીજન’પત્રમાં ‘ઇચ્છે છે' પદનું કેટલું બધું અથ ગૌરવ છે તે સારી પેઠે સમજી શકાય છે. વળી મન વિનાના મિલનમાં જેમ મઝા આવતી નથી, તેમ મન વિનાના-ઇચ્છા વિનાના સન્માગ મિલનમાં ખરી મઝા આવતી નથી. મન વિનાનું મળવું ને ભીંત સાથે ભટકાવું ’–એના જેવા આ ઘાટ થાય છે. સન્માયાગરૂપ પરમા-લગ્નમાં અંતરંગ પ્રીતિરૂપ ‘લગની' લાગ્યા વિના ખરે આનંદ અનુભવાત નથી. એટલા માટે જ અંતર'ગ પ્રીતિરૂપ આ ઇચ્છાયાગને આ યાગમાગ માં પ્રથમ સ્થાન આપ્યું છે, કારણ કે તેના વિના આગળ એક ડગલું પણ મંડાતું નથી. વળી કાર્યસિદ્ધિનું રહસ્ય વિચારીએ તે કોઇ પણ કાર્યની સિદ્ધિમાં સૌથી પ્રથમ તા તે કાર્ય માટેની અંતરગ ઇચ્છા-રુચિ-ધગશ જાગવી જોઇએ. એવી અંતરંગ ઇચ્છા હાય, તેા જ તેને રસ્તા મળી આવે છે. Where there is a will there is a way '–એ પ્રસિદ્ધ અંગ્રેજી ઉક્તિ અનુસાર તેને માર્ગ મળી આવતાં પ્રવૃત્તિ અર્થાત્ કાય માટેના પ્રયત્ન ( Effort ) થાય છે. અને એમ ઉત્સાહથી પ્રવર્ત્તતાં માર્ગીમાં વિઘ્ન ( Obstacle ) આવે તા તેનેા જય કરાય છે, અને એમ કરતાં કરતાં અનુક્રમે કાર્યની પૂર્ણ તા-સિદ્ધિ થાય છે. પણ રુચિ વિના જે કાર્ય કરવામાં આવે છે, તે તેા વેઠરૂપ હાઇ, કદી સિદ્ધ થતું નથી, અને તે માટેની ક્રિયા પ્રવૃત્તિ ‘છાર પર લિ’પણા' જેવી થઇ પડે છે! આમ સામાન્ય ક્રમ છે. આત્મા કાર્યરુચિવાળા થયે બધા કારક ફી જાય છે, પલટાઇ જાય છે. કર્તા, ક, કરણુ, સ`પ્રદાન, અપાદાન અને અધિકરણ એ છ કારક જે પૂર્વે આધકપણે પરિણમતા હતા, તે આત્મસિદ્ધિ કાર્ય પ્રત્યે અંતરંગ રુચિઇચ્છા ઉપજતાં સાધકપણે પ્રવર્તે છે. આમ અંતરંગ ભાવરૂપ રુચિ-ઇચ્છા ગુણથી જીવની વૃત્તિમાં અજબ પલટો આવી જાય છે, ચમત્કારિક ફેરફાર થઇ જાય છે, કારણ કે જેવી રુચિ ઉપજે છે, તેવું તેને અનુયાયીઅનુસરતું આત્મવીય સ્કુરાયમાન થાય છે. ( જુએ કાવ્ય પૃ. ૨૯૧ ) જ્યારે જીગરને પ્રેમ લાગે છે, ત્યારે જ આત્મા જાગે છે, અને ત્યારે જ ખરેખરો રંગ લાગે છે. આવી અપૂર્વ ગુણવાળી જે ઇચ્છા છે, તે વળી યમવતાની કથા પ્રત્યેની પ્રીતિવાળી તથા

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456