Book Title: Yashodharmuni Charitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Sahitya Prakashan Samiti

View full book text
Previous | Next

Page 370
________________ સુસુમારનું મોત : મર્યની ફસામણ ૩૬૧ કે, “જીવને તારણહાર ધર્મ છે, સર્વ સુખને દાતા ધર્મ છે, ધર્મ જ સાચી શાંતિ અને ઉન્નતિ આપે છે, દુ:ખ-દુર્ગતિદદશામાંથી બચાવનાર ધર્મ છે. આવા મહાઆશીવદભૂત અને પળે પળે સંરક્ષણ આપનાર ધર્મને છેડી પાપમાં ક્યાં આસ્થા કરવા જેવી છે? કેની પ્રત્યે ખેંચાવા જેવું છે? ધન-માલભિકત અને સન્માન-વૈભવ-વિલાસે તે વર્તમાનમાં વિહવળ કરનારા અને અંતે દો દેનારા છે. એના પર શા હૈયાના હેત ધરવા'તા? હેત ધરૂ તો એક માત્ર ધર્મ પર, ધર્મના દાતા પર અને ધર્મના સ્થાને પર.” ધર્મબુદ્ધિ આમ ધર્મની માયા ઊભી કરી. હવે દરેક પ્રસંગે ધર્મબુદ્ધિમાં રહ્યા કરવા માટે ભારે ખત, એકસાઈ અને મહેનત કરવાની. માનવકળ આ માટે જ છે. આથી જ કૃતકૃત્ય બને છે. એ વીતી ગયા પછી આ નહિ થઈ શકે. સુરેન્દ્રદત્તે છેવટે છેવટે ધર્મબુદ્ધિ ગુમાવી તે પછી દેખાય છે કે તિર્યંચના અવતારે તિસ્મરણજ્ઞાન થવા છતાં ધર્મબુદ્ધિને અવકાશ નથી મળતા. એક તો એવી દુઃખદ સ્થિતિમાં મૂકાવું અને પાછી ધર્મ બુદ્ધિ ગુમાવવી એ કરતાં અહીં ગમે તેવા સંજોગોમાં પણ ધર્મબુદ્ધિ જાળવી રાખવી શુ બેટી? મસ્ય પર જાલિમ જુમને આદેશ યશોધર મહાત્મા કહે છે, “પુત્ર ગુણધર મારા સાંભળતાં જ એની માતાને પિંડદાન અંગે કહી રહ્યા છે. “તે મા ! એમ કર, આ મસ્યને પૂછડાને ભાગ રંધાવી એનાથી પિતાજી અને દાદીના સ્મરણમાં બ્રાહણેને જમાડવા દઈ દે અને આગળનો ભાગ સારી રીતે લાવી તળવી એનું મારા અને તારા માટે સુંદર ભેજન બનાવરાવ.” આ સાંભળીને મારે કયાં ઊભા રહેવું? અંગેઅંગમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394