Book Title: Yashodharmuni Charitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Sahitya Prakashan Samiti

View full book text
Previous | Next

Page 374
________________ અજ્ઞાન અને કર્મની વિટંબણા રહ્યું છે !” ' જગતના કેટલાય પ્રસંગે જોઈ જોઈ મન બગડે છે, રાગષ ઉઠે છે, હર્ષ–શેક થાય છે, ઈર્ષ્યા-તિરસ્કાર જામે છે. આ બધાથી બચવા આ ઉપગી સૂત્ર છે કે, ‘અહે! અજ્ઞાન શું કામ કરી રહ્યું છે! સામાના માટે આ વિચાર કર્યો એટલે એમ થાય કે એનાથી ગમે તેવું અજુગતું બન્યું છે, પરંતુ જ્યાં અજ્ઞાનની પરવશતા છે ત્યાં અજ્ઞાનવશતાને લીધે થતી ચેષ્ટા પર આપણે મન શા બગાડવા? જીવ તો બિચારા સ્વરૂપે સારા છે; પણ અજ્ઞાન અજુગતું? કરાવી રહ્યું છે; એના પર આશ્ચર્ય, રાષ, તિરસ્કાર, વગેરે કાંઈ આપણે કરવાનું હોય નહિ. * આવું બીજું સૂત્ર છે, અહે! કર્મ કેવી વિટબણું સજે છે! આપણા જીવનમાં ન ધારી કે ન ગમતી કેટલીય ઘટનાએ બને છે, ત્યાં જીવ આકુળ-વ્યાકુળ થઈ જાય છે. સંકલ્પ-વિ૮૫ અને દુર્યાનમાં ચઢે છે. પરંતુ જે આ વિચારાય કે અહે! મારાં ગુસ કર્મ કેવી વિટંબણા સજે છે. ફિકર નહિ મારાં જ કરેલાં કર્મ છે ને ? તો આવાં સર્જન કરે જ; તો મનમાં બીજી અશુભ લાગણીઓ ઊભી થતી અટકી જાય.” અહીં કર્મ ની વિટંબણા પ્રત્યે આશ્ચર્ય થાય છે પરંતુ એ આશ્ચર્યનો ભાવ મનને ફરૂ” બનાવી દે છે, કર્મના નવા બંધ પ્રત્યે સાવધાન કરી દે છે. આપણા જીવનમાં બનતી કે જગતમાં બનતી કેઈ ઘટનાએ પર આપણે કહેવાઈ ન જઈએ અને મલિન લાગણમાં ન ફસાઈ એ, એ માટે કમવિટંબણને બરાબર નજર સામે રાખવાની છે. જે આ નજર સામે નથી રાખતા તે સ્વ કે પરના જીવન માં બનતી ઘટનાઓ જોઈને કે સાંભળીને એવા અહેવાઈ જઈએ છીએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394