Book Title: Vishvamangal Granthmala Part 04
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 294
________________ ૨૮૯ ઉદ્યોગને હરણફાળ ભરાવીને અને વાતાવરણની, મનની, શરીરની, સ્થળની અશુદ્ધિઓ દૂર કરી, બુદ્ધિના ભ્રમને નાશ કરી, સાચી વિદ્યા અને સાચી કેળવણીની શરૂઆત કરીએ, તેનાથી વધુ નક્કર, વધુ શાંતિમય શરૂઆત કઈ હોઈ શકે? - ખાદ્ય તેલ અને ડિઝલ ભારતના ગૃહ અને ગ્રામ્ય ઉદ્યોગને મધ્ય એશિયામાંથી ધસી આવતાં લશ્કરે એક હજાર વરસના પ્રયત્ન પછી પણ ભાંગી શક્યાં ન હતાં. અંગ્રેજોએ બીજી યુક્તિઓ લડાવીને અને ખાસ કરીને પશુવધની નીતિ દ્વારા તે ભાંગવાની શરૂઆત કરી. હવે અરબ દેશે પિતાના દેશમાં બેઠા બેઠા જ પિતાનાં તેલા (ડિઝલ) છેડીને આપણા ગૃહ અને ગ્રામ્ય ઉદ્યો ને ભુક્કો બેલાવી રહ્યા છે. આજે ખાદ્ય તેલ અને ડિઝલ બન્ને ભારતની પ્રજા અને ભારતની સરકારના માથાને દુઃખા બન્યાં છે. બંગાળના અમીચંદે અંગ્રેજ અફસર કલાઈવને આશરે આપે. આપણા અનેક શ્રીમંતે પિતાના જશેખ અને વૈભવના પ્રદર્શનની ખાતર અથવા શેષક અર્થશાસ્ત્રના ઢાંચામાં, અને મનુ ભગવાને આંકેલી લક્ષમણરેખા ભૂંસી નાખીને તેમણે મનાઈ કરેલા ધંધામાં કૂદી પડીને અને યાંત્રિક ઉદ્યોગે ચલાવીને અરબ દેશના મદદગાર બની તેમના ડિઝલની અહીં ધૂમ આયાત કરવી પડે તેવી સ્થિતિ પેદા કરે છે. - આપણું ખાદ્ય તેલ બળદના આશ્રયને ઠુકરાવીને અરબના ડિઝલનું આશ્રિત બન્યું છે. અરબ દેશને આશ્રયે ગયા પછી તેલ ઉદ્યોગે ગુજરાતનાં પ્રધાનમંડળે સ્થાપ્યાં છે અને ઊથલાવ્યાં છે અને કેન્દ્ર સરકારને પણ પિતાની લાલ આંખ બતાવી છે. ડિઝલ તેલે ભારત સરકારની તિજોરીનું તળિયું સાફ કર્યું છે " અને વિશ્વની મહાસત્તાઓની નીંદ હરામ કરી છે. ત્યારે આપણે એ ભા. ૪-૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314