Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 120 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા સાહિત્ય ઉપાસનામાં જોડાયેલા કેટલાક આગેવાન જૈન બંધુઓના દિલમાં વિચાર આવે છે કે મોહનભાઈની અનેકવિધ સેવાની કદર રૂપે આપણે કાંઈક કરવું જોઈએ. જે. મૂ. કૉન્ફરન્સની સ્થાયી સમિતિમાં એ બાબત ચર્ચાય છે, એક સન્માન સમિતિ નિમાય છે, મોહનભાઈને એક થેલી આપવાનો નિર્ણય કરવામાં આવે છે, થેલી માટે ફંડ એકઠું કરવાની તજવીજ શરૂ થાય છે, કોઈ સો, કોઈ બસો, કોઈ પાંચસો ભરે છે અને એમ રૂ.૬૦૦૦ ઉપર ભરણું થાય છે. બીજી બાજુએ મોહનભાઈની તબિયત વધારે ને વધારે લથડતી જાય છે. ભાનસાન ગુમાવતા જાય છે. કોઈને સાંભળે, સમજે કે જવાબ આપે એવી સ્થિતિ રહેતી નથી. સન્માન કાર્ય મોડું થાય છે. ““જરા પણ ઢીલ કરવામાં જોખમ છે, મોહનભાઈનો દેહ લાંબો વખત ટકે એમ નથી” એવા સમાચાર ઉપરાઉપરી આવ્યા કરે છે. ઝટપટ માનપત્ર ઘડાય છે, ચાંદીનું ભૂંગળું [કલાત્મક કાસ્કેટ) ખરીદાય છે, રૂ.૬૦૦૦ એકઠા કરવામાં આવે છે. માનપત્ર, ચાંદીનું ભૂંગળું અને રૂ.૬૦OOની રોકડ રકમ લઈને શ્રી જૈન છે. મૂ. કૉન્ફરન્સ તરફથી નિમાયેલી “શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ સન્માન સમિતિના પ્રતિનિધિ તરીકે શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી રાજકોટ તરફ રવાના થાય છે. તા.૨ ડિસેમ્બર અને રવિવાર જ્યારે મોહનલાલ દીપચંદ ચોકસી આ બધી સન્માન સામગ્રી લઈને રાજકોટ શહેરમાં પ્રવેશ કરે છે ત્યારે અને તે જ દિવસે મોહનભાઈનો સાક્ષર આત્મા અક્ષરધામમાં પહોંચી ગયો હોય છે અને તેમનો ક્ષરદેહ ભસ્મીભૂત થઈ ચૂક્યો હોય છે. કેવી અજબ ઘટના ! કાળની કેવી ક્રૂર મશ્કરી ! શ્રી ચોકસી રૂ.૬૦૦૦ની રકમ શ્રી મોહનભાઈનાં સંતાનોને સ્વીકારવા વિનંતી કરે છે. તેમનાં સંતાનો “અમારી પાસે જોઈતું છે. અને વધુની જરૂર નથી' એમ કહીને એ રકમ પાછી વાળે છે. એમના મામા જેમની પાસે મોહનભાઈ ઊછર્યા હતા તેઓ આ રકમ જે કાંઈ કાર્યમાં વપરાય તેમાં વાપરવા માટે પોતા તરફથી રૂ.૫૦૦ ઉમેરી આપે છે. ઉપસંહાર ક્યાં કવિ ફિરદૌસી અને ક્યાં મોહનભાઈ ! કોઈને આ સરખામણી ભારે કઢંગી લાગશે. એમ છતાં પણ અક્ષરઉપાસના એ બંનેમાં રહેલો