Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૧૨
Uપૂજાવિધિવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
सुद्धं चेव निमित्तं दव्वं भावेण सोहियव्वं ति । इय एगंतविसुद्धा जायइ एसा तहिट्ठफला ॥१२॥ शुद्धमेव निमित्तं द्रव्यं भावेन शोधयितव्यमिति । इत्येकान्तविशुद्धा जायते एषा तथेष्टफला ॥१२।।
અન્વયાર્થ -
સુદ્ધ વેવ અને શુદ્ધ જ નિમિત્તે રલ્વ નિમિત્તદ્રવ્યને ભાવે ભાવથી સોદિયલ્વે શોધવું જોઇએ. રૂ એ પ્રમાણે તિવિયુદ્ધ એકાંતે વિશુદ્ધ એવી પણ આ=પૂજા તદિzeત્ની તેવા પ્રકારની ઇષ્ટફલવાળી નાયડુ થાય છે. ત્તિ પાદપૂર્તિ માટે છે. કે અહીં રૂ' શબ્દ ત્રીજી ગાથાથી અત્યાર સુધી વર્ણન કરાયેલ સર્વ કથનનું પરામર્શક
ગાથાર્થ :
અને શુદ્ધ જ નિમિત્તદ્રવ્યને ભાવથી શોધવું જોઈએ. એ પ્રમાણે એકાંતે વિશુદ્ધ એવી આ પૂજા તેવા પ્રકારની ઈષ્ટફલવાળી થાય છે.
ભાવાર્થ :
ભગવાનની પૂજાની સામગ્રી વિધિપૂર્વક અને શ્રેષ્ઠ લાવવામાં આવે, અને તે સામગ્રીની ખરીદી માટેનું ધન પણ નીતિપૂર્વક પ્રાપ્ત કરેલું હોય, તો તે નિમિત્તદ્રવ્ય શુદ્ધ કહેવાય. પોતાના અનાભોગથી કે તેવા પ્રકારના સંયોગથી બીજા કોઇનું દ્રવ્ય પૂજાની સામગ્રીમાં આવી ગયું હોય, અને તેના દ્વારા પોતે ભગવાનની ભક્તિ કરતો હોય, તો ત્યાં “તન્નપુર્થતી મવતુ' અર્થાત્ “તેના દ્રવ્યથી ઉત્પન્ન થયેલ પુણ્ય તેને થાઓ” એ પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયથી શુદ્ધ નિમિત્તદ્રવ્યનું શોધન કરવું જોઈએ. આવા શુદ્ધ ભાવથી પરકીય દ્રવ્યથી ભગવાનની પૂજા કરવા દ્વારા પોતે લાભ લેવાની જે લેશ પણ મનોવૃત્તિ હોય, તેનો પરિહાર કરવાનો ભાવ પેદા કરવાનો છે. આ ભાવથી તે નિમિત્તદ્રવ્ય શુદ્ધ બને છે.
અત્યાર સુધી દ્રવ્યપૂજાનું વર્ણન કર્યું. હવે તે દ્રવ્યપૂજાનું ગાથાના ઉત્તરાર્ધથી નિગમન કરે છે. આ ઉત્તરાર્ધથી એ ફલિત થાય છે કે ગાથા નં. ૩ થી માંડીને જે પ્રમાણે પૂજાનું વર્ણન અત્યાર સુધી કરાયું તે પ્રમાણે પોતાની શક્તિને અનુરૂપ કોઈ જીવ પૂજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240