Book Title: Updhan Tap Ek Soneri Tak
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Jain Trust
View full book text
________________
નવકારવાળી તથા જીવવિચાર નવતત્વ આદિ પ્રક્રણોની ૨૦૦૦ ગાથાનો સ્વાધ્યાયક્રવો. ગાથાઓનો સ્વાધ્યાયક્રતા પહેલા ઇરિયાવહી. ક્રવી. પુરિમનું પચ્ચ આવેથી સ્થાપનાજી ખુલ્લા રાખી વિધિપૂર્વક પચ્ચ પારવું નીવી કે આયંબિલ ક્યાં પછી ઉઠતાં તિવિહારનું પચ્ચ કરવું પછી ઇરિ કરી ભગવાન ખુલ્લા રાખી જગચિંતામણીનું ચૈત્યવંદન જયવીરાય સુધી કરવું પછી સ્વાધ્યાય આદિ રવો. સાંજે ચાર વાગે પડિલેહણમાં (વાંદણા દીધા વગર સીધી આદેશ માંગવાના પછી પડિલેહણ-દેવવંદન કરી ગુરુ મહારાજ પાસે આવી સાંજની ક્રિયા કરી ૨૪ માંડલાં કરવા-સ્થડિલ પડિલેહવાં.) પ્રતિક્રમણ ક્રી, એક પ્રહર રાત્રિ ગયા બાદ સંથારા પોરિસી ભણાવવી, સૂતી વખતે મનમાં કુંડલ (રૂનાં પૂમડાં) નાખવા. ઉંઘ ન આવે ત્યાં સુધી શુભ ભાવના ભાવવી. મહાપુરુષોના
પવિત્ર ચરિત્રોનું સ્મરણ કરવું. ૧૦. શ્રાવિકાઓએ સવારે તથા સાંજે ક્રિયા વખતે ફરીથી પૌષધ
આદિના આદેશો ગુરૂ મહારાજ પાસે માંગવાં. સવારે રાઈસ મુહ ક્રિયા પછી અને સાંજે દેવસીઅમુક ક્રિયા પૂર્વે પડિલેહવી.