Book Title: Tattvamimansa
Author(s): Sunandaben Vohra
Publisher: Nilaben and Ashokbhai Choksi

View full book text
Previous | Next

Page 395
________________ (૩) વિરત-મહાવ્રતોનો ઘારણ કરનાર મુનિ. (૪) અનંતાનુબંધિવિયોજક – અનંતાનુબંધી ચાર કષાયોનો (વર્તમાનમાં) ક્ષય કરનાર (૫) દર્શનમોહલપક – દર્શનમોહનો (વર્તમાનમાં) ક્ષય કરનાર, અનંતાનુબંધી ચાર કષાયો, સમ્યક્ત્વમોહ, મિશ્રમોહ, મિથ્યાત્વમોહ એ સાત પ્રકૃતિઓ દર્શનમોહ છે. () મોહોપશપક – મોહની પ્રકૃતિઓનો (વર્તમાનમાં) ઉપશમ કરનાર. (૭) ઉપશાંતમોહ – જેણે મોહની સર્વ (૨૮) પ્રકૃતિઓનો ઉપશમ , કરી દીધો છે તે. (૮) મોહક્ષપક – મોહની પ્રકૃતિઓનો વર્તમાનમાં) ક્ષય કરનાર. (૯) ક્ષણમોહ – જેણે મોહની સઘળી પ્રવૃતિઓનો ક્ષય કરી નાંખ્યો છે તે. (૧૦) જિન – જેમણે ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી દીધો છે તે કેવલી. કર્મોનો સર્વથા ક્ષય એ મોક્ષ છે. કર્મોનો આંશિક ક્ષય નિર્જરા છે. કર્મનો આંશિક ક્ષય દરેક સાધકને સમાન હોતો નથી. કારણ કે કર્મનો આંશિક ક્ષય આત્માની વિશુદ્ધિ ઉપર આધાર રાખે છે. આત્માની વિશુદ્ધિ જમ અધિક તેમ નિર્જરા વધારે. પ્રસ્તુત સૂત્રમાં નિર્દિષ્ટ સમ્યગ્દષ્ટિ આદિ સાધકની આત્મવિશુદ્ધિ અનુક્રમે અસંખ્યગુણી હોવાથી નિર્જરા અસંખ્યગુણી થાય છે. આંશિક નિર્જરાની શરૂઆત મુખ્યતયા સમ્યગ્દષ્ટિથી (ચોથા ગુણસ્થાનકથી) થાય છે. અને ૧૩મા ગુણસ્થાને તેનો અંત આવે છે. ચૌદમા ગુણઠાણે સર્વ કર્મનો ક્ષય થાય છે. ચારિત્રની તરતમતાની દૃષ્ટિએ નિગ્રંથના ભેદો : પુરાવ-વસુશ-સુશી- સ્થિતિ નિર્ણવ્યાઃ ૯-૪૮ પુલાક-બકુશ-કુશીલ-નિર્ઝન્થ-સ્નાતકા નિર્ચસ્થાઃ ૯-૪૮ પુલાક-બકુશ-કુશીલ-નિર્ઝન્થ-સ્નાતકાઃ નિર્ઝન્થાઃ ૯-૪૮ ૩૫૮ તત્ત્વમીમાંસા જનક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428