Book Title: Tattvamimansa
Author(s): Sunandaben Vohra
Publisher: Nilaben and Ashokbhai Choksi

View full book text
Previous | Next

Page 401
________________ આત્મશક્તિ જાગ્રત થાય છે. ત્યારે તે નિર્જરાતત્ત્વરૂપ શુદ્ધ પરિણામથી અનાદિનાં કર્મો ક્રમે ક્રમે ક્ષીણ થઈને જીવ સર્વથા મુક્ત થાય છે. અહીં તેનો દીર્ઘકાલીન ભવરોગ ટળે છે. ભલે અથડાતો-કૂડાતો સહન કરતો, અકામનિર્જરા વડે જીવ કોઈ મહાપુણ્યયોગે અધ્યાત્મભાવમાં પ્રવેશ કરે છે. અન્ય પદાર્થોમાં થયેલી નિજબુદ્ધિ અથવા અન્ય પદાર્થો પ્રત્યેનો તાદાત્મ્ય સંબંધ ક્ષીણ થાય છે. જીવનું સામર્થ્ય પ્રગટે છે, ત્યારે જીવના ચૈતન્યનું જાગરણ થાય છે, જે જ્ઞાનપ્રકાશ વડે તત્ત્વને જેમ છે તેમ જાણે છે, શ્રદ્ધે છે, અને સ્વરૂપમાં શમાય છે કે જ્યાં કેવળ નિરામય સુખ છે. સંવર એ આત્માના શુભપરિણામ છે, જ્યાંથી નિર્જરાનો પણ પ્રારંભ થાય છે. સાધના અપેક્ષાએ તેના વિવિધ પ્રકારો દર્શાવ્યા છે, તે પદ્ધતિસરના છે. સમિતિ-ગુપ્તિ દ્વારા જીવ શુદ્ધ થતો જાય છે. સાવધાન બને છે, અને તેનામાં રહેલા જે ગુણો અનુભૂત થાય તેવાં ક્ષમા આદિ લક્ષણો પ્રગટતાં રહે છે, તે ચારિત્રની શુદ્ધિમાં સહાયક બને છે. તેને પરિણામે જીવ-સાધક કોઈ શુદ્ધ વિષયમાં એકાગ્ર થઈ ઉપયોગની ચંચળતા શમાવે છે જે ચંચળતા કેવળ કર્મના આકર્ષણનું કારણ હતી, તે ક્ષણે ક્ષણે ઘટતી જાય છે. ચિંતનના કે ધ્યાનના સામર્થ્યથી સાધકનું આત્મબળ ગમે તેવાં કષ્ટોને પ્રાણાંતે પણ સહી લે છે. તે વિશેષ સાધુધર્મનો પરિષહજય છે. તેથી અચળ ચારિત્રનું નિર્માણ થતાં, સાધક શીઘ્રતાએ મુક્તિ પ્રત્યે જાય છે. સંવરરૂપ સંયમ સાથે નિર્જરારૂપ તપનો સંગમ થવાથી અનાદિના કર્મમળના સમૂહને સાધક છિન્નભિન્ન કરી નાંખે છે. કર્મોનું બળ ઘટતું જાય છે. મિથ્યાત્વની દશામાં કર્મથી પ્રભાવિત થયેલો જીવ હવે તેનો બદલો લેવા એક સમય પણ ચૂકતો નથી. કર્મના સમુહને નાશ કરવાની યુક્તિમાં બાહ્યતપ દ્વારા સાધક ઇચ્છાઓથી વિરમે છે. અને અત્યંતર તપ વડે શુદ્ધાત્માને ધ્યાવે છે. ધ્યાન દ્વારા કર્મનો ક્ષય કરતો સંયમ શ્રેણીએ ચઢી સાધક મોક્ષને પ્રાપ્ત કરે છે. ૩૬૪ ૪ તત્ત્વમીમાંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428