Book Title: Tattvamimansa
Author(s): Sunandaben Vohra
Publisher: Nilaben and Ashokbhai Choksi

View full book text
Previous | Next

Page 415
________________ બોધ પામીને સિદ્ધ થાય છે. કોઈ બુદ્ધબોધિત રૂપે, અર્થાત્ બીજાના ઉપદેશથી બોધ પામીને, સિદ્ધ થાય છે. તીર્થંકરો તથા પ્રત્યેક બુઢ્ઢો સ્વયં બુદ્ધ હોય છે. બીજા જીવો બુદ્ધબોધિત હોય છે. (૮) જ્ઞાનઃ કયા જ્ઞાનથી સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાન કાળની દૃષ્ટિએ કેવળજ્ઞાનથી સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ મતિ-શ્રુત એ બે જ્ઞાનથી, અથવા મતિ-શ્રુત, અવધિ, મન:પર્યવ એ ચાર જ્ઞાનથી સિદ્ધ થાય છે. અર્થાત્ કેવળજ્ઞાન પામતાં પહેલાં તે તે જ્ઞાન હોઈ શકે છે. (૯) અવગાહના : કેટલી અવગાહનાવાળા જીવો સિદ્ધ થાય તેની વિચારણા. અવગાહના એટલે આત્મપ્રદેશોને રહેવાની જગ્યા, અર્થાત્ શરીરનું પ્રમાણ-ઊંચાઈ. ઉત્કૃષ્ટથી ૫૦૨થી ૫૦૯ ધનુષ્યની કાયાવાળા જીવો સિદ્ધ થઈ શકે છે. જન્યથી ૨થી ૯ અંગુલ ન્યૂન બે હાથની કાયાવાળા જીવો સિદ્ધ થઈ શકે છે. વર્તમાનકાળની દૃષ્ટિએ પોતાની કાયાના ભાગની અવગાહનામાં સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ ૩ પોતપોતાની કાયાની અવગાહનામાં સિદ્ધ થાય છે. (૧૦) અંતર : સતત પ્રત્યેક સમયે સિદ્ધ થાય કે અંતર પડે ? અંતર પડે તો કેટલું અંતર પડે તેની વિચારણા. જીવો અનંતર (-સતત) સિદ્ધ થાય છે, અને અંતરથી પણ સિદ્ધ થાય છે. એટલે કે કેટલીક વખત સતત અનેક સમય સુધી સિદ્ધ થયા કરે છે. આ પ્રમાણે સતત સિદ્ધ થયા કરે તો જઘન્યથી બે સમય સુધી અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી સિદ્ધ થાય છે. અર્થાત્ પહેલા સમયે કોઈ જીવ સિદ્ધ થાય, પછી તુરત બીજા સમયે કોઈ જીવ સિદ્ધ થાય, પછી ત્રીજા સમયે કોઈ જીવ સિદ્ધ થાય આમ સતત પ્રત્યેક સમયે સિદ્ધ થાય તો વધારેમાં વધારે આઠમા સમય સુધી સિદ્ધ થાય. નવમા સમયે અંતર પડી જાય. સતત આઠ સમય સુધી સિદ્ધ થયા પછી નવમા સમયે કોઈ પણ ક્ષેત્રમાંથી કોઈ પણ જીવ મોક્ષમાં ન જાય. આ અંતર જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ પડે છે. અર્થાત્ કોઈ એક સમયે કોઈ પણ જીવ મોક્ષે ન જાય, બીજા સમયે પણ કોઈ પણ જીવ મોક્ષે ન જાય, ત્રીજા સમયે ૩૭૮ ૪ તત્ત્વમીમાંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428