________________
જણાવ્યું કે મને હાજત બહુ લાગી છે તેથી જાઉં છું, જલદી પાછા ફરીશ. કાળની ગહન ગતિને દુઃખદ રચના રચવી હતી આજે જ હાજતે એકલા જવાને બનાવ હતે. હંમેશાં તે બધા સાધુઓ સાથે મળીને દિશાએ જતા.
હાજતથી મોકળા થઈ પાછા ફરતા હતા, ત્યાં રેલ્વે લાઈન ઉપર બે ગાયે આવી રહી હતી. બીજી બાજુથી ટ્રેઈન પણ આવી રહી હતી તેની હીસલ વાગતાં છતાં પણ ગાયે ખસતી ન હતી. શ્રી વિનેદમુનિનું હૃદય થરથરી ઊઠયું અને મહા અનુકંપાએ મુનિના હૃદયમાં સ્થાન લીધું. હાથમાં રજોહરણ લઈ જાનના જોખમની પરવા કર્યા વગર ગાયને બચાવવા ગયા. ગાયોને તે બચાવી જ લીધી, પરંતુ આ ક્રિયામાં છકાય જીવની દયાના સાધનભૂત રજોહરણ કે જે વિનોદમુનિને આત્માથી વધારે પ્યારે હવે, તે રેલવે લાઈન ઉપર પડી ગયો અને શ્રી વિનેદમુનિએ તે પાછે સંપાદન કરવામાં જડવાદને સિદ્ધ કરતાં રાક્ષસી એનજીનને ઝપાટે આવ્યા અને પિતાનું બલિદાન આપ્યું. અરિહંત-અરિહંત એવા શબ્દ મુખમાંથી નીકળ્યાં અને શરીર તૂટી પડયું. રક્ત પ્રવાહ છૂટી પડયે અને થોડા જ વખતમાં પ્રાણાંત થઈ ગયે. બધા લેકે કહેવા લાગ્યા કે ગૌરક્ષામાં મુનિશ્રીએ પ્રાણ આપ્યાં. અંતિમ સમયે મુનિશ્રીના ચહેરા પર ભવ્ય શાન્તિ જ દેખાતી હતી.
- હંમેશાં તેઓ જે તરફ હાજતે જતા હતા તે તરફ ફરીથી પિકરણ તરફ જવાની રેલ્વે લાઈન હતી. આ લાઈન ઉપર રેલ્વે સત્તાવાળાઓએ ફાટક મૂકેલ નથી અને ત્યાં રસ્તો પણ છે એટલે પશુઓની અવરજવર હોય જ છે અને વખતો વખત ત્યાં ઢેરો રેલ્વેની હડફેટે ચડી જવાના પ્રસંગ બને છે.
ફલેદી સંઘે આ દુર્ઘટનાના ખબર રાજકોટ ટેલીફેનથી આપ્યા. જે વખતે ટેલીફોન આવ્યું, તે વખતે પિતાશ્રી બહાર ગયા હતા અને માતુશ્રી મણિબેન સામાયિક-પ્રતિક્રમણમાં બેઠાં હતાં. માત્ર