Book Title: Siri Santinaha Chariyam
Author(s): Devchandasuri, Dharmadhurandharsuri
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 11
________________ ध्यात्वेति सूरिमन्त्रस्याराधनं सूरयो व्यधु: । विधुतान्यप्रभावस्य शासनोन्नतिहेतवे ॥५॥ प्रत्यक्षीभूय तत्पीठपूजिता शासनेश्वरी । मुमुक्षुमुरव्यमाचष्ट स्पष्टवागिति तं मुदा ॥६॥ ધંધુકા નગરમાં દેરાસરમાંથી આવ્યા બાદ પાટ ઉપર બેઠેલો જે બાળક તમને વંદન કરશે તે મોઢવંશવિભૂષણ પાહિણી અને ચાચિનનો પુત્ર ચાંગદેવ નામનો બાળક શાસનનો પ્રભાવક બનશે' આ પ્રમાણે કહીને પ્રસન્ન થએલાં શાસનદેવ અન્તર્ધાન થયા. પછી આ કાર્યની સિદ્ધિ માટે આચાર્યશ્રી ધંધુકા નગરે પધાર્યા. આ પ્રસંગમાં તેમના મનમાં રહેલી પ્રીતિજન્ય વ્યથા પ્રગટ થાય છે. બીજો પ્રસંગ તેમના ઉત્તરકાળનો છે. તે આચાર્ય શ્રી સોમતિલકસૂરિ રચિત કુમારપાનવરિત માં છે. આ બીજો પ્રસંગ પુરાતનાચાર્ય સંગૃહીત કુમારપાતપ્રવોથપ્રવર્ષ માં છે. અહીં પધ ચરિત્રના આધારે એ પ્રસંગ જોઈએ. આ પ્રસંગથી તેઓના વ્યકિતત્વના અનાસક્ત પાસાનો પરિચય મળે છે. કેવી નિર્લેપતા, તટસ્થતા, નિ:સ્પૃહતા હશે તેનો ખ્યાલ આવે છે. એક વખતનો પ્રસંગ છે. મહારાજ કુમારપાલને એવો વિચાર આવે છે કે જગતને આપણે ઋણમુકત કરીએ. આ કાર્ય તો ત્યારે જ શકય બને કે જે સુવર્ણસિદ્ધિની પ્રાપ્તિ થાય એટલે કુમારપાલ રાજાએ તેમના ગુરુ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજને એ માટે વિનંતિ કરી.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 1016