Book Title: Shrutsagar 2016 02 Volume 02 09
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRUTSAGAR February-2016 नैव तस्य कृतेनार्थो, ना कृते नेह कश्चन। नचास्य सर्वभूतेषु, कश्चिदर्थ व्यपाश्रयः ॥९॥ अध्यात्मसार ॥ આત્મસંતુષ્ટ યોગીને કરવા વડે કંઇ નથી અને ન કરવા વડે કંઇ નથી. કારણ કે તે બાહ્યમાં કરવું અને નહીં કરવું તેના પરિણામથી તે મુક્ત છે. મોહવિના આત્મજ્ઞાની જે જે કંઇ કરે છે તેમાં તેને કંઇ સ્વાર્થ હોતો નથી અને તે સાક્ષીભૂત થઇને કરે છે તેથી તે જે જે કાર્યો કરતો તેમાં તેનું કશું કંઇ જતું આવતું નથી. કારણ કે તે કરવાથી લપાતો નથી. જ્ઞાની પોતાના ભૂતકાળમાં થએલા અનન્ત પર્યાયોને જાણે છે તથા વર્તમાનમાં સમયે સમયે બદલાતા પર્યાયોને જાણે છે તેમજ અન્ય દ્રવ્યોના પર્યાયોને જાણે છે. ક્ષણે ક્ષણે દરેક વસ્તુનું અભિનવ પર્યાયે રૂપાન્તર થયા કરે છે તેથી આત્મજ્ઞાની પોતાનામાં ક્ષણે ક્ષણે જ્ઞાનાદિ પર્યાયોનું રૂપાંતર થતું દેખે છે અને તેનો અનુભવ કરે છે, તેથી જ્ઞાનયોગમાં અનન્તાનંદ ભોગવે છે. પોતાના આત્માથી ભિન્ન એવા પરવસ્તુઓના પર્યાયો કે જે તેના રૂપે ઉત્પાદ વ્યયને પામે છે તેમાં પોતાનું તે કંઇ દેખતો નથી, અને પોતાના અર્થે તેને પરવસ્તુનું કંઇ કર્તવ્ય રહેતું નથી એમ અનુભવ દૃષ્ટિથી અનુભવી શકાય છે. આત્મનિષ્ઠજ્ઞાની વ્યવહારથી કાર્યો કરે છે તો તેમાં તેનો સ્વાર્થ નહિ હોવાથી કાર્યો કરે છે તેથી તેનું કંઇ પણ પ્રયોજન સિદ્ધ થતું નથી અને તેમજ આત્મજ્ઞાન નિષ્ઠયોગી કોઇ કાર્ય નથી કરતો તો નહિ કરવા વડે પણ તેને કંઇ નથી. સારાંશમાં કહેવાનું કે કાર્યો કરવા વડે વા ન કરવા વડે તેને કંઇ નથી. આવું સ્વરૂપ ખરેખરી રીતે તો તેવી દશા પ્રાપ્ત કરે તેનાજ અનુભવમાં આવી શકે છે. આત્મસંતુષ્ટ જ્ઞાનીનું કરવું વા ન કરવું એ સર્વ દુનિયાની દૃષ્ટિની પેલી પાર હોવાથી આત્મસંતુષ્ટ મનુષ્ય તેને પરિપૂર્ણ અનેક અપેક્ષાઓથી જાણી શકે છે. સર્વ પ્રાણીઓમાં આત્મસંતુષ્ટ જ્ઞાનીને અર્થનો સ્વાર્થ હોતો નથી. આત્મજ્ઞાનીને આત્મામાં સંતોષ થવાથી અન્ય પ્રાણીઓ દ્વારા સંતોષ પ્રાપ્ત કરવાનો હોતો નથી. આત્મજ્ઞાની પોતાનામાં જેવું સત્તાએ જ્ઞાનાદિ ધન રહ્યું છે તેવું સર્વમાં દેખે છે, તેથી સમાન દૃષ્ટિથી સ્વાર્થાદિ સંગ વિના આત્મામાં દેખે છે અને આનંદમાં લીન રહે છે. બાહ્ય જગત્માં બંધાયેલી અહંવૃત્તિ છેદીને તે સર્વ પૌલિક વસ્તુઓથી પોતાને ભિન્ન દેખે છે. સર્વ પ્રાણીઓમાં તે નિઃસ્વાર્થ દૃષ્ટિથી દેખીને આત્માના આનંદમાં લયલીન રહે છે. (ક્રમશ:) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36