Book Title: Shravaka Sanmitra Author(s): Lalitvijay Publisher: Karpur Pustakalaya Samo View full book textPage 8
________________ માલિની વ્રત છંદ, નિશદિન જિન કેરી જે કરે શુદ્ધ સેવા. અણું વ્રત ધરી જે તે કામ આનંદ જેવા. ચરમ જિન વરિદે જે સુધમે સુવાસ્યા, - સમકિત સત્યવંતા શ્રાવકા તે પ્રસંસ્થા. શ્રાવક કેને કહેવાય–સંપ્રાપ્ત કર્યું છે સમક્તિ જેણે અથૉત્ સંપૂર્ણ થઈ છે. દર્શનાદિ પ્રતિમા જેમને એ શ્રાવક પ્રતિદિવસ મુનિજનની પાસે પરમ ઉત્કૃષ્ટ એવી સામાચારીને સાંભળે, નિશે તેવા પુરૂષને તીર્થકર ભગવંત શ્રાવક કહે છે. ધર્મ કાર્યો કરવામાં વિધિની પ્રબળતા. गाथा-धन्नाणं विहिजोगो, विहि पख्खा राहगा सया धन्ना। विहि बहुमाणा धन्ना, विहि पख्ख अदूसगा धन्ना ॥१॥ ભાવાર્થ—ધર્મકાર્યમાં વિધિને પેગ ધન્ય પુરૂષને થાય છે, વિધિપક્ષના આરાધન કરનારને સદા ધન્ય છે, તેમ વિધિનું બહુમાન કરનારને ધન્ય છે અને વિધિપક્ષને દૂષણ આપે નહિ તેને પણ ધન્ય છે. એક સામાયિક અને તેનું ફળ. સામાયિક સદા લખ ખાંડી સુવર્ણનું, કરે દાન જન કેય; મહત્વ –તે એક શુદ્ધ સામાયિકે, બરાબરી નહિ હોય. સામાયિક બાણ ઓગણસાઠ લખ, પચીશ સહસ પ્રમાણ ફળ –નવસો પચીશ પલ્યોપમ, દેવ આયુ બંધાણ. તેને (૯૨૫૨૫૯૨૫) પલ્યોપમ અને એક પલ્યોપમના આઠીયા સાત ભાગ જેટલું દેવતાનું આયુષ્ય બાંધે. સામાયિકના શ્રુત સમકિત બેઉ અને, દેશ સર્વવિરતિ સાર; ૪ ભેદ– શુદ્ધ સામાયિક આદરે, પામે ભવન પાર. ચાર ભેદને ખુલાસો. શ્રત-અમુક પાઠ મુખપાઠ કરી ઉઠવાનો નિયમ છે. સમકિત--શુદ્ધ સમકિત પાળવું તે. દેશવિરતિ–બે ઘડી સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરી બેસવું તે. ૧ તે બત્રીશ દેષ રહિતનું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 232