Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 266
________________ ૨૬o શ્રાવકજીવન રાજાએ વિચાર કર્યો: “માત્ર અનુમાન ઉપરથી કોઈની ઉપર કલંક લગાડવું એ યોગ્ય નથી. આ ઘટનાનાં ઊંડાણમાં ઊતરવું પડશે.” રાજાએ મંત્રી દ્વારા નગરમાં ઘોષણા કરાવી : “જે માણસ દેવવલ્લભ” હારની ભાળ આપશે તેને રાજા પાંચ ગામ ઈનામમાં આપશે.” સાત દિવસ સુધી ઘોષણા થતી રહી. પરંતુ કોઈ પણ માણસે હારનો પત્તો મેળવી આપ્યો નહીં. રાજા નિરાશ થઈ ગયો. મહામંત્રીએ અભિપ્રાય આપ્યો: “મહારાજ, નગરના મુખ્ય જ્યોતિષીગણને બોલાવીને એમને પૂછવામાં આવે, તેઓ જ્યોતિષના માધ્યમ દ્વારા આ વિષયમાં બતાવી શકે.” રાજાને મહામંત્રીની વાત યોગ્ય લાગી. જ્યોતિષીઓને બોલાવવામાં આવ્યા. રાજાએ તમામ જ્યોતિષીઓનું યોગ્ય સન્માન કર્યું. યોગ્ય આસનો ઉપર બેસાડ્યા અને રાજાએ પ્રશ્ન પૂછ્યો: “મને મારો દેવવલ્લભ હાર પાછો મળશે કે નહીં? તમામ જ્યોતિષીઓ પ્રશ્નકુંડળી બનાવીને તેનો ફળાદેશ વિચારવા લાગ્યા, પરંતુ સંતોષજનક ઉત્તર ન મળ્યો. થોડોક સમય ગયા પછી એક વયોવૃદ્ધ જ્યોતિષી બોલ્યા: “હે નરેન્દ્ર, એ હાર પાછો મળશે, પરંતુ દીર્ઘકાળ પછી મળશે. અને એ હાર જેને મળશે તે તમારા સિંહાસન ઉપર બેસશે.” રાજાએ પૂછ્યું : હે દૈવજ્ઞ, આપનું ભવિષ્યકથન સાચું છે કે નહીં એ હું કેવી રીતે માની શકું?” , “હે રાજનું, આજથી ત્રીજા દિવસે આપના હાથીનું મોત થાય તો વાત સાચી માનજો.” રાજાએ સર્વ જ્યોતિષીઓનું સન્માન કર્યુંબધા ચાલ્યા ગયા. હાથીના મોતની વાત સાંભળીને રાજા અત્યંત દુઃખી થયો. કારણ કે રાજાને હાર કરતાં ય હાથી વધારે પ્રિય હતો. પરંતુ આ સંસાર છે. સંસારમાં પ્રિયનો વિરહ અને અપ્રિયનો સંગમ થતો રહે છે. અજ્ઞાની જીવ આ સંસારની વાસ્તવિકતાથી અણજાણ હોય છે, એટલે પ્રિયના વિરહમાં રહે છે. વિલાપ કરે છે. . " ત્રીજે દિવસે હાથીનું મૃત્યુ થઈ ગયું. કેટલાક દિવસો સુધી રાજા વ્યથિત રહ્યો. પછી તેણે મોટા રાજકુમારનાં ખૂબ ધામધૂમથી લગ્ન કર્યાં. રાજાએ મંત્રીમંડળને કહ્યું: “જ્યોતિષીએ હારની ચોરી કરનારને રાજ્યપ્રાપ્તિ થવાની વાત કરી છે, પરંતુ એ અસંભવિત છે. હારના ચોરને તો શૂળીનું સિંહાસન મળશે.” મહામંત્રીએ કહ્યું “મહારાજા, જ્યોતિષી કોઈ સર્વજ્ઞ તો હોતા નથી. તેમનું કહેવું સત્ય જ હોય એવો નિયમ નથી. એટલા માટે આપ નિશ્ચિત રહો.” દુઃખનું ઓસડ દહાડા' - દિવસો વીતવા લાગ્યા, મહિનાઓ વીતવા લાગ્યા, અને કેટલાંક વર્ષો પણ વીતી ગયાં. રાજા ધીમે ધીમે હારની વાત ભૂલી ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286