Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 268
________________ ૨૨ શ્રાવકજીવન તેમણે આકાશમાં જોયું. ચારે દિશાઓમાં જોયું. પરંતુ કોઈ મનુષ્ય યા દેવ તેમને નજરે ન પડ્યો. પાર્ષદને પૂછ્યું: “આ ભવિષ્યકથન કરનારા આપ કોણ છો? આપનું નામ શું છે? અમારી ઉપર આટલું વાત્સલ્ય બતાવવાનું પ્રયોજન શું છે ?' દેવ બોલ્યો “હું આપનો પુત્ર છું! મૃત્યુ સમયે આપે મને શ્રી નવકાર મહામંત્ર સંભળાવ્યો હતો. એ મહામંત્રના પ્રભાવથી હું નાગરાજ ધરણેન્દ્રના પરિવારમાં દેવ બન્યો છું. અહીં રહું છું. માતા-પિતા અને ભાઈના સ્નેહને લીધે જ્યાં સુધી ભાઈને રાજ્ય નહીં મળે ત્યાં સુધી હું સાન્નિધ્યમાં રહીશ. મારો ભાઈ ભાગ્યશાળી છે, એટલા માટે તમારે કોઈ ચિંતા ન કરવી. એક કામ કરજો, એનું નામ પ્રિયંકર રાખજો.” પ્રિયશ્રીએ કહ્યું: “જરૂર, અમે પુત્રનું નામ પ્રિયંકર' રાખીશું.' દેવે કહ્યું: ‘આપને કોઈ સંકટ આવી પડે તો અહીં આવો અને મારા આ સ્થાને ભોગ ધરાવજો. હું તમારી ઇચ્છા પૂર્ણ કરીશ.” પાર્શ્વદત્ત અને પ્રિયશ્રીએ દેવની વાતનો સ્વીકાર કર્યો અને નગરમાં ચાલ્યાં ગયાં. ભાડે ઘર રાખીને રહેવા લાગ્યાં. કેટલાક દિવસો પછી પ્રિયશ્રીના ભાઈના લગ્નનો પ્રસંગ આવ્યો. ભાઈ તેડવા આવ્યો, પ્રિયશ્રી ભાઈની સાથે પોતાના પિયર ગઈ, પરંતુ એનાં વસ્ત્રો સામાન્ય હતાં; સોના-ચાંદીના ઘરેણાં ન હતાં. પિયરમાં તેનું અપમાન થયું, અનાદર થયો. તેનું મન અતિશય દુઃખી થઈ ગયું. રડતી રડતી તે પોતાને ઘેર આવી. પાર્શ્વદત્ત પ્રિયશ્રી પાસેથી આખોય વૃત્તાંત જાણી લીધો. તેણે પત્નીને કહ્યું “જે જીવ પૂર્વજન્મમાં પુણ્યકર્મ કરીને નથી આવ્યો, તેને આવાં દુઃખ ભોગવવા પડે છે. એટલા માટે આ જન્મમાં બની શકે તેટલું પુણ્ય કર્યા કરો.” પ્રિયશ્રી અને પાર્શ્વદત્તે ધર્મ-આરાધના શરૂ કરી દીધી. ધર્મના પ્રભાવથી પુણ્યકર્મનો ઉદય થયો. એક દિવસ પ્રિયશ્રી ઘરમાં લીંપવા માટેની માટી લેવા માટે નગરની બહાર ગઈ હતી. એક સ્થળે તેણે જમીન ખોદવાની શરૂઆત કરી. ખાડામાં તેણે ભંડાર જોયો. પ્રિયશ્રીએ એને માટીથી ઢાંકી દીધો. ઘેર આવીને તેણે આ વાત પાર્શ્વદત્તને કરી. તે પ્રિયશ્રીની સાથે ત્યાં ગયો, ભંડાર જોયો. કંઈક વિચાર કરીને તેણે પ્રિયશ્રીને કહ્યું : “આ જમીન રાજાની છે, એટલા માટે જમીનમાંથી નીકળેલો ખજાનો પણ રાજાનો છે. એટલે હું રાજા પાસે જઈને તેને જાણ કરું છું. તું ઘેર ચાલી જા.” પાર્શ્વદતે રાજાને ખજાનાની વાત બતાવી દીધી. રાજાએ પાર્શ્વદત્તની સાથે પોતાના મંત્રીઓને મોકલ્યા. મંત્રીઓએ ખાડામાંથી ખજાનો બહાર કાઢ્યો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286