Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 264
________________ (પ્રવચન : 90) પરમ કૃપાનિધિ, મહાન વ્યુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા બતાવતાં કહ્યું છે કે - નારાવિરક્તનમ્ | નમસ્કાર મહામંત્ર આદિનું ચિંતન કરવું જોઈએ. આદિ પદથી લોગસ્સ સૂત્રનું તેમજ ઉવસગ્ગહરં સ્તોત્રનું ચિંતન સમજવું જોઈએ. અન્ય સૂત્રોનું પણ ચિંતન કરવું જોઈએ. પરંતુ ચિંતન તો ત્યારે જ થઈ શકે કે જ્યારે સૂત્રનો અર્થ જ્ઞાત હોય, અર્થ અને ભાવાર્થનું જ્ઞાન હોય. આ વૃષ્ટિથી હું તમને કેટલાક વિસ્તાર સાથે ઉવસગ્ગહર સ્તોત્ર સમજાવું છું. ઉવસગ્ગહર સ્તોત્રનો પ્રભાવ, ભાવાર્થ, રહસ્યાર્થ, આદિ સમજાવ્યા પછી આજે તમને આ સ્તોત્રનો પ્રભાવ બતાવનારી એક પ્રાચીન કથા સંભળાવીશ. હમણાં કેટલાક દિવસોથી તમને વાત સાંભળવા મળી નથી નેઆજે મન ભરીને વાત સાંભળી લેજે. ખૂબ રોમાંચક વાર્તા છે. રાજા અશોકચંદ્ર ઃ મગધ દેશની આ વાત છે. વર્તમાનમાં તેને બિહાર' કહે છે. અશોકપુર નામે નગર હતું. નગર ધન-ધાન્યથી સમૃદ્ધ હતું. ત્યાંનાં રાજાનું નામ અશોકચંદ્ર હતું. રાજા પ્રતાપી, પરાક્રમી અને ન્યાયી હતો. રાજાની રાણીનું નામ હતું અશોકમાલા. રાણી વિવેક, વિનય અને શીલ, ક્ષમા આદિ ગુણોથી અલંકૃત હતી. રાજાને ત્રણ પુત્રો હતા - અરિશૂર, રણશૂર અને દાનશૂર. અરિશ્રનો વિવાહ જ્યારે અરિશ્ર યૌવનમાં પ્રવેશ્યો તો રાજાએ તેનો વિવાહ-મહોત્સવ શરૂ કર્યો. મહેલ સજાવવામાં આવ્યો. સુંદર વસ્ત્રો તૈયાર થવા લાગ્યાં. મનોહર અલંકારો પણ બનવાં લાગ્યાં. એ સમયે પાટલીપુત્ર (વર્તમાન પટણા)ના કેટલાક સોની લોકો અશોકપુરમાં આવ્યા, રાજસભામાં જઈને સોની લોકોએ રાજા અશોકચંદ્રને વિનયપૂર્વક પ્રણામ કર્યા અને નમ્રતાથી નિવેદન કર્યું? “હે નરશ્રેષ્ઠ, અમે પાટલીપુત્રથી આવ્યા છીએ. અમે મહારાજ-કુમારના વિવાહમહોત્સવનો વૃત્તાંત સાંભળ્યો. અમે હર્ષ પામ્યા. અમે સોની છીએ, આ શુભ પ્રસંગે અમે અમારી કલાનો કોઈક ચમત્કાર બતાવવા માગીએ છીએ. જો કે અશોકપુરમાં અનેક કલાકાર સોનીઓ છે, છતાં પણ હાથી-હાથીમાં અંતર હોય છે, અશ્વ-અશ્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286