Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 22
________________ કહ્યું છે કે :- જળ અને પૃથ્વીતત્ત્વમાં નિદ્રાવિચ્છેદ થાય, તો શુભ માટે થાય. પણ આકાશ, વાયુ અને અગ્નિમાં નિદ્રાવિચ્છેદ થાય, તો દુ:ખદાયી જાણવું. શુક્લપક્ષમાં પડવેથી (એકમથી) ત્રણ દિવસ ઉઠતી વખતે ડાબી – ચંદ્રનાડીનો ઉદય સારો અને કષ્ણપક્ષમાં પડવેથી ત્રણ દિવસ ઉઠતી વખતે જમણી સૂર્યનાડીનો ઉદય સારો છે. શુક્લ પ્રતિપદ (એકમથી) પ્રથમ ત્રણ દિવસ ઉઠતી વખતે ચંદ્રનાડીમાં વાયુ વહે, પછી ત્રણ દિવસ સૂર્યનાડીમાં વાયુ વહે, પછી ત્રણ દિવસ ચંદ્રનાડીમાં ઇત્યાદિ ક્રમથી નાડી ચાલે, એ પ્રશસ્ત છે. વિપરીત થાય, તો તે અપ્રશસ્ત છે. ઉદયવખતે ચંદ્રનાડીથી વાયુ વહે, તો અસ્ત વખતે સૂર્યનાડીથી વહે એ તથા ઉદયવખતે સૂર્યનાડી ચાલતી હોય, તો અસ્તવખતે ચંદ્રનાડી ચાલે એ શુભ છે. કેટલાકના મતે સૂર્ય – ચંદ્ર ઉદયઅંગે વારનો ક્રમ ચોક્કસ છે. રવિવારે, મંગળવારે, ગુરુવારે અને શનિવારે સૂર્યનાડીમાં ઉદય સારો અને સોમવારે, બુધવારે અને શુક્રવારે ચંદ્રનાડીમાં ઉદય સારો છે. (દરેક સ્થળે ઉઠતીવખતે વાયુનો ઉદય અને સૂતી વખતે વાયુનો અસ્ત એવો એક મત છે. ને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમજવા એવો બીજો મત છે.) બીજા કેટલાકના મતે સંક્રાંતિના ક્રમથી જોવું, જેમકે મેષસંક્રાંતિ સૂર્યનાડીની અને વૃષભસંક્રાંતિ ચંદ્રનાડીની, એમ અનુક્રમથી બાર સંક્રાંતિ સાથે સૂર્ય અને ચંદ્ર નાડીની ગણના કરવી. (સંક્રાંતિ- સૂર્યનો એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ. જે રાશિમાં સૂર્ય પ્રવેશે તે રાશિની સંક્રાંતિ કહેવાય. જેમકે સૂર્ય મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશે, એ મેષ સંક્રાંતિ કહેવાય.) કેટલાક ચંદ્ર એક રાશિમાંથી બીજી રાશિમાં જાય તે ક્રમથી નાડી વિચાર કરે છે. - સૂર્યોદય વખતે જે નાડી વહેતી હોય, તે અઢી ઘડી પછી બદલાઇ જાય છે. ચંદ્રથી સૂર્ય અને સૂર્યથી ચંદ્ર, એમ કૂવાના રેંટની જેમ આખો દિવસ પવન એક નાડીમાંથી બીજી નાડીમાં સંચરણ કર્યા કરે છે. પવનને એક નાડીમાંથી બીજી નાડીમાં સંચરણ કરતા છત્રીસ ગુરુ અક્ષર બોલતા જેટલી વાર લાગે છે, એટલી વાર લાગે છે. (દીર્ધસ્વર અથવા સયુંક્ત વ્યંજનનો પૂર્વસ્વર ગુરુ ગણાય છે.) પાંચ તત્ત્વની સમજ ઉચ્છવાસ વખતે છોડેલો પવન ઉપર તરફ વહે, તો અગ્નિતત્ત્વ. નીચે તરફ વહે, તો જલતત્ત્વ. તિર્થો પવન વહે. તો વાયુતત્ત્વ. નાસિકાનાં બે પડમાં વહે તો પૃથ્વીતત્ત્વ. અને બધી દિશાએ રે જાય, ત્યારે આકાશતત્ત્વ સમજવું. સૂર્યનાડી અને ચંદ્રનાડીમાં વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ એ અનુક્રમથી તત્ત્વ રૂપે વહે છે. પૃથ્વીતત્ત્વ પચાસ પળ, જળતત્ત્વ ચાલીસ પળ, અગ્નિતત્ત્વ ત્રીસ પળ, વાયુતત્ત્વ વીશ પળ, આકાશતત્ત્વ દશ પળ વહે. તત્ત્વોમાં કરવાના કાર્યો ભૂમિ અને જળ તત્ત્વોથી શાંત કાર્યમાં ફળની ઉન્નતિ થાય છે. અગ્નિ, વાયુ અને આકાશતત્ત્વોથી તીવ્ર અને અસ્થિર કાર્યો લાભકારી થાય. જીવિતવ્ય, જય, લાભ, ધાન્યની ઉત્પત્તિ, વર્ષા, પુત્ર સંબંધી કે યુદ્ધસંબંધી પ્રશ્નવખતે તથા ગમન - આગમનવખતે જો પૃથ્વી કે જળતત્ત્વ હોય, તો શુભ ગણાય. પણ જો વાયુ કે અગ્નિતત્ત્વ હોય તો અશુભ સમજવા. પૃથ્વીતત્ત્વમાં ‘અર્થસિદ્ધિ(પ્રયોજનની સિદ્ધિ) સ્થિર થશે” અને જળતત્ત્વમાં ‘શીધ્ર થશે” એમ કહેવું. ૧૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 ... 291