________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૮) શરીરના હેાય તે વિદ્યાભ્યાસ, પૂજ, દાન, જપ વિગેરે બની શકે નહીં, ધર્માથી જીવેએ શરીરની સંરક્ષા કરવી. આથી એમ કહેવાનું નથી કે, મનમાં ફાવે તેમ ફરવું, આખો દિવસ ખાધાપીધા કરવું. ભક્ષ્યાભક્ષ્ય ગમે તે ખાવું, એમ કહેવાને હેતુ નથી પણ શરીરને વશમાં રાખે, શરીરથી વ્યભિચાર એટલે પરકીય સ્ત્રી ભેગવવી નહીં, કારણ કે તેથી ધાતુને ક્ષય થતાં શરીરનો નાશ થશે. નિયમસર અનવદ્ય આહારથી શરીરનું પોષણ કરવું, ઘણું ખાવાથી શરીરમાં અનેક પ્રકારના રોગ થાય છે, તાવ, કેલેરા વિગેરે રોગ અનિયમિત ખાવાથી થાય છે. “શરીરે સુખી તે સુખી સર્વ વાતે, શરીરે દુ:ખી તે દુઃખી છે સદાતે” પ્રથમ મનુષ્ય શરીરે સુખી હોય તે સર્વ વાતે સુખી જાણ. લક્ષમી ઘણી હોય, કુલીન હોય, પુત્ર ઘણા હોય પણ શરીરે રોગી હોય તે સદાને દુઃખીજ જાણુ ! જે દેશના મનુ શરીરે મજબૂત છે અને બળવાન છે તે દેશના લેકે સ્વતંત્ર હોય છે, મેટી ઉમરે પુરૂષને
www.kobatirth.org
For Private And Personal Use Only