Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ ત્યારે તેનું જ્ઞાન પોતાના તાત્પૂર્યના અનુસારે ન થાય તો તેના પ્રામાણ્યનો ગ્રહ ન થવાથી દોષ આવશે. ‘વિશેષ સ્વરૂપે તાત્પર્યંનો ગ્રહ ન થવા છતાં સામાન્યથી ગ્રહ(જ્ઞાન) હોવાથી દોષ નથી.’-આ પ્રમાણે કહેવામાં આવે તો એવો સામાન્યથી ગ્રહ અર્થાત્ પ્રામાણ્યનો ગ્રહ તો અમને પણ (જૈનોને) છે. તેથી તેમને પણ શિષ્ટ માનવા પડશે.’’-આ પ્રમાણે અઠ્ઠાવીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પોતપોતાના તાત્પર્યના અનુસાર સંપૂર્ણપણે વેદપ્રામાણ્યનો સ્વીકાર કરનારાને શિષ્ટ માનવામાં આવે તો કેટલાંક દુરધિગમ વેદનાં વચનોનું જ્ઞાન પોતાના તાત્પર્યના અનુસારે ન પણ સમજાય ત્યારે તે બ્રાહ્મણને શિષ્ટ માની શકાશે નહિ. તેથી પૂર્વ શ્લોકમાં જણાવેલી વાત બરાબર નથી. ‘પોતાના તાત્પર્યના વિષયમાં સંપૂર્ણપણે વેદપ્રામાણ્યનો અભ્યુપગમ ઉપર જણાવ્યા મુજબ શક્ય ન હોવા છતાં; જેનું તાત્પર્ય જાણી શકાયું નથી એવી શ્રુતિમાં પ્રમોપહિતત્વ(યથાર્થજ્ઞાનવિષયત્વ)નો ગ્રહ થતો નથી. પરંતુ પ્રમાકરણત્વ(પ્રામાણ્ય), તેમાં સારી રીતે ગ્રહણ કરી શકાય છે.(કારણ કે મને સમજાતું નથી પણ તે પ્રમાણ છે.-આવું જ્ઞાન થઈ શકે છે.) તેથી સર્વાંશે વેદપ્રામાણ્યનો અભ્યુપગમ ઉપર જણાવ્યા મુજબ શક્ય છે.’-આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે નયસ્વરૂપે(વસ્તુના અંશને ગ્રહણ કરવાના અભિપ્રાયે) પોતાના અભિપ્રાય મુજબના LRRRRR 可 ૫૧ CRL L 可可夾小品品

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66