________________
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રોચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચે આચારોનું પાલન કરનાર હોવા જોઈએ, તો જ આચાર્ય પોતાના શિષ્યોમાં એ આચારનું પ્રવર્તન કરી શકે છે.
જૈન શાસનના ઇતિહાસમાં આવા એકએકથી ચડે એવા આચાર્યો આપણને સાંપડ્યા છે. એ ગરિમા ઝંખવાય નહીં તે જોવાની જવાબદારી આપણા સહુની સહિયારી છે.
નવકાર મંત્ર ચૌદ પૂર્વનો સાર છે (૧) ઉત્પાદપૂર્વ (૨) આગ્રાયણી પૂર્વ (૩) વીર્યપ્રવાદપૂર્વ (૪) અસ્તિકવાદપૂર્વ (૫) જ્ઞાનપ્રવાદપૂર્વ (૯) સત્યપ્રવાદપૂર્વ (૭) આત્મપ્રવાદપૂર્વ (૮) કર્મપ્રવાદપૂર્વ (૯) પ્રત્યાખ્યાન પ્રવાદપૂર્વ (10) વિદ્યાપ્રવાદપૂર્વ (૧૧) કલ્યાણપ્રવાદપૂર્વ (૧૨ પ્રાણવાદપૂર્વ (૧૩) યિાવિશાલપૂર્વ (૧૪) લોકબિંદુસારપૂર્વ
III સભ્ય જ્ઞાન અને સમ્ય ક્રિયાના
સમન્વય-સાધક ઉપદધ્યાય ધર્મશાસ્ત્રો એ કરોડરજ્જુ સમાન છે. એના પાયા પર તે ધર્મવિચાર અને ધર્મઆચારની ઇમારત રચાયેલી છે. આ ઇમારતની સાચી ઓળખ આપનારની સહુથી વધુ જરૂર હોય છે. ધર્મશાસ્ત્રોમાં રહેલા જ્ઞાનનો પ્રકાશ પારખીને સમજાવનારા ન હોય તો ઘણીવાર જિજ્ઞાસુને અંધકારમાં અથડાવું પડે છે. તીર્થકર ભગવંતોએ પ્રરૂપેલો અને ગણધર ભગવંતોએ કહેલો ઉપદેશ સમજાવનારનું પણ એટલું જ મહત્ત્વ છે. આ ઉપદેશ સમજાવે તે ઉપાધ્યાય. આથી તો શ્રી મગનલાલ શાહે શ્રી નવકાર મંત્રની ગઝલમાં લખ્યું છે - ‘ભણાવે છે જે ઉપાધ્યાય
સકલ સિદ્ધાંત સમજીને, રમે છે જ્ઞાનના દાને,
નમું છું પ્રેમથી સહુને'.
આઠ સંપદા આઠ સિદ્ધિ આપે (૧) અણિમા (૨) મહિમા (૩) લધિમા (૪) ગરિમા (૫) પ્રાપ્તિ (૯) પ્રાકામ્ય (૭) ઈશત્વ (૮) વશિત્વ
નવપદ નવનિધિ આપે (૧) નૈસર્ષનિધિ (૨) પાંડુ કનિધિ (૩) પિંગલ કનિધિ (૪) સર્વ રત્નનિધિ (૫) મહાપમનિધિ (૯) કાલનિધિ (૭) મહી કાલનિધિ (૮) માણવકનિધિ (૯) રાંખનિધિ.