Book Title: Samaro Mantra Bhalo Navkar
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 27
________________ અરિહંત વંદના સિદ્ધ વંદના કરી અતુલ આતમ બળ વડે આંતર રિપુ નિકંદના, દૂષણ અઢારે દૂર કર્યા આતમ સ્વરૂપની નંદના; ગુણગણ અનંતા જેહના કેમે કરી ય ગણાય ના, અરિહંતના શુભ ચરણમાં કરું. ભાવથી હું વંદના. ૧ લોકાગ્રભાગે સિદ્ધ શીલા ઉપરે જે બિરાજતા, નિજ પૂર્ણ કેવળજ્ઞાને લોકાલોકને નિહાળતા; આનંદ વેદન સુખ અનુપમ દુ:ખ તો લવલેશ ના, સવિ સિદ્ધના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૧ કેવળ લહી દ્રષ્ટા બને સવી દ્રવ્ય ખેતર કાળના, જાણે બધા ભાવો છતાં તન મન થકી લેપાય ના; વિહરે જે વાયુની પરે વસુધાતલે પ્રતિબંધના, અરિહંતના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૨ જે નિષ્કષાયી નાથ નિર્મોહી નિરાકારી સદા, અવિનાશી અકલ એરૂપવંતી આત્મગુણની સંપદી; નિર્મુક્ત જે વળી નિત્ય દેહાતીત નિજરૂપ રંજના, સવિ સિદ્ધના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૨ જે દેવનિર્મિત સમવસરણે બેસી દેતા દેશના, વાણી અમીય સમાણી સુણતા તૃપ્તિ કદીએ થાય ના; ચોત્રીશ અતિશય શોભતા પાંત્રીસ ગુણ વાણી તણા, અરિહંતના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૩ કદી જાય ના એવાં સુખોના સ્વામી સિદ્ધ જિનેશ્વરો, ક્ષય થાય ના એવો ખજાનો ભોગવે પરમેશ્વરો; રિદ્ધિ અને સિદ્ધિ અનંતી જેહની કરે સેવના, સવિ સિદ્ધના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૩ માર્ગોપદેશક ગુણ ભલો વ્યસની સદૈવ પરાર્થના, સુર અસુર કિન્નર ભક્તિભાવ હર્ષથી કરે અર્ચના; જે નામનું સંસ્મરણ દુરિત દૂર કરે ભવભવ તણા, અરિહંતના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૪ ઘાતી અઘાતી કર્મ જે સાથી અનાદિ કાળના, તેને કરી ચકચૂર સ્વામી જે થયા નિજ ભાવના; અક્ષય સ્થિતિ શાશ્વત સુખો ભોક્તા મહા સામ્રાજ્યના, સવિ સિદ્ધના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૪ ૐ હું સપ્રાતિહાર્યાતિશયશાલિભ્યઃ શ્રી અહંભ્યઃ નમઃ સ્વાહા || | ૐ હું પ્રાપ્તાનન્ત ચતુષ્ટયેભ્યઃ શ્રી સિદ્ધભ્યઃ નમઃ સ્વાહા ||

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30