Book Title: Samaro Mantra Bhalo Navkar
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 30
________________ પંચ પરમેષ્ઠી-ભક્તિ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ જ્ઞાનાદિ ગુણોથી યુક્ત છે અને એટલે જ ગુણાભિલાષી ભવ્યાત્માઓ માટે મૂર્તિમંત ગુણોની જેમ જ પૂજ્ય છે. | વિશેષ આવશ્યક ભાષ્ય, 2942] જે મનુષ્ય સંયમમાં દેઢ હોવા છતાંય સમ્યગુદર્શનાદિ ચાર આરાધનાઓના નાયક પંચપરમેષ્ઠીની ભક્તિ નથી કરતો તે પડતર જમીનમાં ભાતની વાવણી કરે છે. | ભગવતી આરાધના, 749] વિધિપૂર્વક વાવેલાં બીજ વર્ષાને કારણે જેવી રીતે ફળમાં પરિણમે છે તેવી જ રીતે અરિહંત આદિની ભક્તિ જ્ઞાન, ચારિત્ર્ય, દર્શન અને તારૂપી ફળોમાં પરિણમે છે. | ભગવતી આરાધના 751 ] ***

Loading...

Page Navigation
1 ... 28 29 30