Book Title: Samaro Mantra Bhalo Navkar
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust
View full book text
________________
આચાર્ય વંદના
ઉપાધ્યાય વંદના
પરમેષ્ઠીના ત્રીજા પદે જે સ્થાન પાવન પામતા, છત્રીસ ગુણોને ધારતા ષડુ શત્રુગણ નિવારતા; વહેતાં વ્રતોના ભારને કરતા સ્વ-પરની સારણા, આચાર્યના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૧
શાસન તણા ઉધાનને લીલુડું નિત જે રાખતા, ચોથે પદે જે અલંકર્યા નીલ વરણ કાંતિ સુરાજતા; પોતે ભણે પરને ભણાવે ભંડાર ગુણ વિનય તણા, ઉપાધ્યાયના શુભ ચરણમાં કરું. ભાવથી હું વંદના. ૧
ધૂરિ જે જિનશાસન તણા દેતા મધુરી દેશના, પ્રતિબાધતા ભવિ લોકને જે ભાવતા શુભ ભાવના; શાસક પ્રભાવક જે કહ્યા નેતા ચતુર્વિધ સંઘના, આચાર્યના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૨
શાસ્ત્રો તણા ગુઢાર્થભેદો બુદ્ધિબળથી ખોલતા, જે સારથી સમુદાયના સન્માર્ગને સંસ્થાપતા; અજ્ઞાનના અંધારપટ ઉલેચતા શિશુવંદના, ઉપાધ્યાયના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૨
ગીતાર્થતા જેને વરી વ્યવહારકુશળતા ભરી, ભાખ્યા જે તીર્થકર સમાં, શાસ્ત્રો તણા જ્ઞાનેશ્વરી; જયકાર શાસનનો કરે પાલક સદા જિનઆણના, આચાર્યના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૩
શાસન તણા સામ્રાજ્યના મહામંત્રીપદ પર રાજતા, જે પદ તણા સંસ્મરણથી મંદો સુપાવે પ્રાજ્ઞતા; ઉપયોગવંત પ્રધાન જયણા ભાવ ભીરુ પાપના, ઉપાધ્યાયના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૩
જ્ઞાનાદિ પંચાચાર જે પાળે પળાવે હેતથી, સાધુ તથા સમુદાયનું કરે યોગ-ક્ષેમ વિવેકથી; તોલીને લાભાલાભ જે રક્ષક બને શ્રી સંઘના, આચાર્યના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૪
જે ગુપ્તરત્ન નિદાન સમ પચ્ચીશ ગુણે કરી ઓપતા, મહાને ચલાવે પણ સૂરિની આણ કદીએ ન લોપતા; કરે સારણા ક'દી વારણા નિત ચોયણા પ્રતિચોયણા, ઉપાધ્યાયના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૪
ૐ હ્રીં પંચાચારપવિત્રેભ્યઃ શ્રી સૂરિભ્યઃ નમઃ સ્વાહા //
ૐ હું શુદ્ધસિદ્ધાન્તાધ્યાપનપ્રવણેભ્યઃ શ્રી ઉપાધ્યાયેભ્યઃ નમઃ સ્વાહા //

Page Navigation
1 ... 26 27 28 29 30