Book Title: Saman suttam Jain Dharmasara
Author(s): Bhuvanchandra
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 240
________________ સ્યાદ્વાદ ૨૧૫ દ્રવ્યનો એક પર્યાય ઉત્પન્ન થાય છે, પૂર્વવર્તી પર્યાય નષ્ટ થાય છે. તે દ્રવ્ય તો નથી ઉત્પન્ન થયું કે નથી નાશ પામ્યું. ૬ ૬૭. જેમ જન્મથી મરણ સુધી પુરુષ માટે પુરુષ શબ્દનો. વ્યવહાર થાય છે–એટલે કે પુરુષ તરીકે જ એ પદાર્થ ઓળખાય છે. બાળ-યુવાન વગેરે અનેક પ્રકારના તેના પર્યાય બદલાયા કરે છે. (એવું જ દરેક પદાર્થ વિશે સમજવું.) વસ્તુની લાંબા કાળ સુધી એક સરખી ચાલનારી અવસ્થા સામાન્ય પર્યાય કહેવાય. એક સમાન ન હોય તે પર્યાયને વિશેષ પર્યાય કહેવાય. આ બંને પર્યાયો સાપેક્ષદષ્ટિએ દ્રવ્યથી અભિન્ન દ્રવ્ય જ છે. (જીવની મનુષ્યાવસ્થા એ તેનો સામાન્ય પયય કહેવાય અને બાળયુવા-વૃદ્ધ વગેરે અવસ્થાઓ જીવના વિશેષ પર્યાય કહેવાય) જે જ્ઞાનમાં દ્રવ્યના સામાન્ય અને વિશેષ બંને પ્રકારના. ધર્મોનો સમાવેશ થતો હોય તેવું જ્ઞાન જ સુસંગત. ગણાય. એ જ જ્ઞાન. સભ્ય દર્શનનું સાધક બને છે. એનાથી વિપરીત અર્થાત્ માત્ર સામાન્ય પર્યાય કે માત્ર વિશેષ પર્યાયનું નિરૂપણ કરનારું જ્ઞાન સત્વ- સાધક નથી બની શકતું. એક જ વ્યક્તિમાં પિતા-પુત્ર-પૌત્ર-ભાણેજ-ભાઈ વગેરે સંબંધો હોય છે પણ, એકનો પિતા હોય છે તેથી તે બધાનો પિતા નથી થઈ જતો. (આવી સાપેક્ષદષ્ટિથી. દરેક પદાર્થનો વિચાર કરવો જોઈએ.) ૬ ૬ ૯. ૬૭૦. ૬િ ૭૧. આત્મા સવિકલ્પ-નિર્વિકલ્પ ઉભય સ્વરૂપ છે. જો કોઈ તેને માત્ર સવિકલ્પ કે માત્ર નિર્વિકલ્પ કહે તો તે ખરેખર શાસ્ત્રનો સખ્ય અર્થ જાણતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281