Book Title: Ratnakaravatarika Part 03 Author(s): Dalsukh Malvania Publisher: L D Indology Ahmedabad View full book textPage 7
________________ પ્રસ્તાવના જૈન પ્રમાણવિદ્યા પ્રમાણ પ્રમાણેણના જૈન દૃષ્ટિએ સ્વતંત્ર વિચાર જૈન આગમમાં નથી પરંતુ પરદર્શનમાં પ્રસિદ્ધ પ્રમાણવિચારને ઉલ્લેખ તેમાં મળે છે. જૈ આગમેમાં તે જૈનદષ્ટિએ પાંચ જ્ઞાનના સ્વસ’મત વિયાર વ્યવસ્થિતરીતે પ્રજ્ઞાપનામાં અને ત્યાર પછી નન્દીસૂત્રમાં મળે છે. જૈન ક શાસ્ત્ર અને જૈનસંમત જ્ઞાનવિચાર એ બન્ને સકળાયેલ છે પરંતુ જૈનકર્મ શાસ્ત્રના સંબંધ પ્રમાણુ સાથે નથી. આથી પણ સિદ્ધ થાય છે કે જૈનાએ પાતાના દર્શનમાં પ્રમાણુને નહીં પણ જ્ઞાનના વિચાર પાતાની રીતે પ્રથમ કર્યાં છે અને તે એ કે જ્ઞાન સમ્યક્ અને મિથ્યા હૈાય છે. સમ્યષ્ટિ એટલે કે કર્મશાસ્રની પરિભાષામાં આધ્યાત્મિક વિકાસક્રમના ચેાથા ગુણસ્થાનકે અગર તેથી ઉપરની ભૂમિએ જે જીવ હાય ત સભ્યષ્ટિ છે અને તેનું જ્ઞાન સમ્યક્ છે. તે સિવાયના જીવાના જ્ઞાનને સમ્યક્ કહેવામાં આવતું નથી ત મિથ્યા અથવા સમ્યક્–મિથ્યા એટલે કે મિશ્ર હાય છે. આચાય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રમાં સપ્રથમ ધોષણા કરી કે જૈનસ મત જે પાંચ સમ્યજ્ઞાન છે. તે જ પ્રમાણુ સમજવાં. આમ છંતરદર્શનમાં પ્રસિદ્ધ પ્રમાણનિરૂપણુના મેળ જૈન દનમાં જ્ઞાનનિરૂપણુ સાથે છે એમ આચાર્ય ઉમાસ્વાતિએ કહ્યું. આથી એ સિદ્ધ થયું કે જે જ્ઞાન એ જ પ્રમાણ હોય. અજ્ઞાન એટલે કે જે જ્ઞાનરૂપ ન હોય તે પ્રમાણ ન હાય. વળી, આચાર્યં ઉમાસ્વાતિએ એ પણ કહ્યુ કે એ પાંચ જ્ઞાન એ પ્રમાણમાં વિભકત છે— પ્રત્યક્ષ અને પરાક્ષ. અન્ય દર્શનામાં તે કાળે પ્રમાણુ સંખ્યા એકથી માંડીને છ અને તેથી પશુ અધિક મનાતી હતી. તેની સામે માત્ર એ જ પ્રમાણુ માનવાનુ આચાર્ય ઉમાસ્વાતિનું જે સૂચન હતું તે પ્રમાણુવિધાના જૈન વિવેચકાએ માન્ય રાખ્યુ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન. અવધિજ્ઞાન, મનઃપયજ્ઞાન અને કેવલજ્ઞાન–આ પાંચ જ્ઞાને છે. તેમાંનાં પ્રથમ બે આત્મા ઉપરાંત ઇન્દ્રિયાદિ અન્યની અપેક્ષા રાખે છે તેથી તે પરાક્ષ છે અને અવધ આદિ ત્રણ માત્ર આત્મસાપેક્ષ હાઈ પ્રત્યક્ષ છે. આવા વિભાગ આચાર્યાં ઉમાસ્વાતિએ કર્યાં છે, આમાં ઇતરદાનિકાને અનુસરીને આચાય જિનભદ્રે સંશાધન સૂચવ્યું કે ઇન્દ્રિયજન્ય મતિજ્ઞાનને પણ પ્રત્યક્ષ માનવું જોઈએ પરંતુ તેને પારમાર્થિક પ્રત્યક્ષ ન માનતાં સાંવ્યવહારિક પ્રત્યક્ષ માનવું જોઈ એ. આ જિનભદ્રનું આ સૂચન આ. અકલ`ક આદિ સૌ દાર્શનિકાએ પ્રમાણવિભાગમાં સ્વીકાયું છે અને તે સમાન્ય બન્યું છે. આચાર્યં ઉસાસ્વાતિએ મતિજ્ઞાનના જે પર્યાયે નાંધ્યા હતા તે વસ્તુતઃ શબ્દભેદ નથી પણ તેમાં અભેદ પણ છે એમ વ્યાખ્યા કરીને આચાર્ય અક્સ કે અન્ય જૈનેતરPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 242